SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલે, ન ચાલે ત્યારે લાંબું થઈ જાય. પણ શરીરમાં થાક લાગે છે, બગાસાં આવે છે, કંટાળો આવે છે. એનું કારણ શું છે ? મનને જે દિશામાં જવું છે, એને એકસરખી દિશા મળતી નથી, માર્ગમાં અવરોધ આવ્યા કરે છે, ઘડીએ ઘડીએ એને ટકરાવું પડે છે, ઠુકરાવું પડે છે, અથડાવું પડે છે. જે વેગવંતી ગતિથી જાય છે એ જ વેગથી પાછા આવવું પડે છે. મનને બહુ ધક્કા લાગે છે. કોઈ વાર દીકરા તરફથી લાગે, કોને કહો ? કોઈ વાર પત્ની તરફથી લાગે ત્યારે થાય કે આ પચાસ વર્ષે છૂટાછેડા પણ કેમ લેવાય ? કોઈ વાર ભાગીદારથી ઇચ્છા વિરુદ્ધ થાય, મન અસ્વસ્થ થઈ જાય. આમ ઘણી ઘણી આધાતોની થપાટો લાગતી હોય છે, એ થપાટોને લીધે થાકી જાઓ છો. મોઢું લાલ ૨ાખવા માટે દુનિયામાં બોલો, હસો, ખુશી કરો પણ એ હાસ્ય અંદરથી નથી આવતું. અંદર તો અસ્વસ્થતા છે, અંદર તરંગોની હારમાળા છે. માણસ ગમે ત્યાં જાય પણ દુ:ખ સાથે જ છે. જેટલી ભૌતિક ઉપાધિઓ વધારે, એટલાં માન, સન્માન અને પ્રતિષ્ઠા વધારે. પણ એ બિચારો જાણતો હોય છે કે હું અંદરથી કેટલો દુ:ખી છું. કોઈને કહેતો નથી, કહેવાથી મોભો status ઓછું થાય. દુનિયામાં દુ:ખને સાંભળીને આંસુ વહાવનારા થોડા છે, પાછળથી હસી લેનારા ઘણા છે. મનમાં દુ:ખો પડ્યાં છે, અશાંતિ છે. એમાં પણ કેટલાકને તો દુઃખ છે, અશાંતિ છે એની ખબર જ નથી. સવા૨થી ઊઠીને દોડ લગાવે. એને તો યાદ પણ ન આવે કે હું છું. યાદ આવે કે ન આવે, પણ મનની ઉપર તો બધી જ અસરો થતી જ જાય છે. મન ટેપ-રેકોર્ડર જેવું છે. જાણતાં કે અજાણતાં ગમે તે બોલો; શું બોલો છો એની ખબર હોય કે ન હોય તેની સાથે ટેપ-રેકોર્ડર tape-recorder ને કાંઈ લેવા-દેવા નથી. એ તો એનું કામ કરે જાય છે, એ તો બધું જ પકડવાનું. એ નથી વિચારતું કે આ શબ્દ બાદ કરવો અને આ પકડી લેવો. વિવેક કરવાનું કામ એનું નથી. કોઈ કહેતું હોય કે મન નથી, તો એ અણસમજ છે. મન નામની શક્તિ બહુ જબરજસ્ત છે. માનવીને આગળપાછળ કુદાવનાર મન છે. મન નથી એમ કહે એને આત્માનું જ્ઞાન જ નથી. મન શક્તિશાળી છે, પણ આત્માની દૃષ્ટિએ ઊતરતું subordinate છે. જ્યાં સુધી આત્મા જાગ્રત ન થાય ત્યાં સુધી મનની શક્તિ બહુ કામ કરે છે. Jain Education International પૂર્ણાષ્ટક ૩૦૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy