SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ આપતાં, મેડી ઉપર જઈને એ પીવા બેસતા. એટલી વારમાં ઉપરનાં બધાં ફીણ બેસી જતાં, ભરેલો લોટો પોણો થઈ જતો. લોટો ભરીને દૂધ કેમ ન આપ્યું એમ કહી એમણે એક વાર લોટો પછાડ્યો; ત્યારે દાદીમાએ કહેલું : “દીકરા ! ફીણ હોય ત્યારે માપ નીકળતું નથી. લોટો ખાલી થાય ત્યારે પાછો આપે તો ભરી આપું પણ ઊભરો હોય ત્યારે માપ કેમ નીકળે ?” આપણા ચિંતનમાં આ વચન અનુભવને સહકાર આપે છે. ઊભરો હોય ત્યારે માપ કેમ નીકળે ? ગોટા હોય ત્યાં મનનું તો શું, દૂધનું પણ માપ નીકળતું નથી; માણસ ક્યાં છે એ ખબર પડતી નથી. વસ્તુ છે એના કરતાં ચોગણી દેખાય છે. પણ જ્યારે ઊભો બેસી જાય છે, ફીણ બેસી જાય છે ત્યારે જ એ વસ્તુનું સ્પષ્ટ દર્શન થાય છે. જ્યાં સુધી ઊભરો છે ત્યાં સુધી વસ્તુનું માપ નહિ નીકળે. અહીં વિકલ્પ શબ્દ વાપર્યો છે. વિકલ્પ એ તરંગ છે. તરંગ આવે છે ત્યારે તળિયું દેખાતું નથી. તરંગ ડહોળાણને લીધે આવે છે. સિમેંટથી બાંધેલો જળકુંડ હોય, તમે નાહવા ગયા હો અને આંગળીમાંથી હીરાની વીંટી સરકી એમાં પડી જાય અને પાણી તરંગવાળું હોય, તરંગો ચાલતા જ હોય તો તળિયે પડેલી વીંટી પણ દેખાતી નથી. વીંટી કાઢવા માટે કાં તો જળકુંડ ખાલી કરવો પડે અગર તો પાણીને સ્થિર કરવું પડે. પાણી પારદર્શક હોય અને તરંગો શમી જાય તો તળિયે પડેલી વીંટી તરત દેખાય. વીંટી ત્યાં છે, પાણી પણ ચોખું છે, દેખનારી આંખો પણ ત્યાં છે, તેમ છતાં દેખાતું નથી, કારણ કે વચ્ચે તરંગો છે. એમ આપણા ખજાનામાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નો છે, દેખનારો આત્મા છે, જોવું છે, પણ તરંગોના અંતરાય obstacleને લીધે દેખાતું નથી. એક તરંગ જાય ત્યાં બીજો આવે, બીજો જાય ત્યાં ત્રીજો આવે. તરંગ તરંગને લાવે છે. ભગવાનની ભક્તિમાં કે માળાના જપમાં, પુસ્તકના વાચનમાં કે ધ્યાનની એકાગ્રતામાં, ડહોળાણ કોને લીધે થાય છે ? તરંગોને લીધે જ ને ? પ્રભુનો વિચાર કરો ત્યાં ઑફિસનો તરંગ, માળામાં મિલનો તરંગ, પરમાત્મામાં પગારનો તરંગ એમ અનેક તરંગો એક પછી એક આવ્યા જ કરે. જેમ જેમ તરંગ અવસ્થા વધતી જાય તેમ મન અશાંત બનતું જાય છે. મનની અશાંતિ સમગ્ર શરીર ઉપર અસર કરે છે. તમને થાક લાગે છે. સાંજ થાય એટલે શરીર તૂટે છે, કેમ તૂટે છે ? આ શરીરમાં તૂટવા જેવું કાંઈ નથી. ૩૦૪ = માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy