SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિનું દર્શન થાય પણ અનુભવ કરવા જાઓ તો લાંબે ગાળે લાગે કે એમાં માત્ર દુ:ખ જ છે. દુનિયામાં ઘણાય પુજાય છે, પુછાય છે ભૌતિક પદાર્થોથી. પણ એ ઉપરથી, દેખાતા બનાવોથી સંસારનું માપ ન કાઢશો, સંસારમાં દરેક વસ્તુની અમુક પ્રસંગે જરૂર પડે, પણ એની જરૂરિયાત એ વાત પૂરતી મર્યાદિત છે, એના ઉપરથી એની મહત્તા ન અંકાય. રસ્તા ઉપરથી પસાર થતા એક રાજાએ એક ઠેકાણે ગંદકી પડેલી જોઈ. છગનને બોલાવ્યો, કચરો સાફ કરવા કહ્યું. ઘરે જઈને છગન પત્નીને કહેવા લાગ્યો કે મારા વિના રાજાને ચાલતું નથી. હું તો મારી ધૂનમાં ચાલ્યો જતો હતો ત્યાં રાજાએ પોતે જ મને બોલાવ્યો. મને રાજાની શું પડી છે ? છગન માની બેઠો કે એ અનિવાર્ય indispensable છે, પણ રાજાએ બોલાવીને કહ્યું શું ? “આ કચરો કાઢી નાખ', એટલે દુનિયામાં કોઈ કોઈ વાર છગનની પણ જરૂર પડે છે. પણ એના ઉપરથી એ માની લે કે મારા વિના રાજા જીવી ન શકે તો એ હરિજનની વાત બરાબર નથી. દુનિયામાં ભૌતિક પદાર્થોની જરૂર પડે છે પણ કેટલી ? માટે જ દરેક વસ્તુનું valuation કરો. એની કિંમત ક્યાં સુધી ? તમે એને શાશ્વત મૂલ્ય – eternal value – આપો છો એમાં જ ધર્મનો વિરોધ છે. જ્ઞાનીઓ એમ નથી કહેતા કે પોતાની કિસ્મત કાંઈ જ નથી, કાયાની કિસ્મત કાંઈ જ નથી, પાંચ ઇન્દ્રિયો મળી છે એને નષ્ટ કરી નાખો. એમણે બધાની કિમત –– value – ગણી છે. પૈસો પુણ્યથી મળે છે. એમને એમ નથી મળતો. પુણ્ય એ સારાં કૃત્યોનું પરિણામ છે. પણ એ પુણ્યથી મળેલા પૈસાને મોક્ષની નિસરણી ન માનીશ. જીવ મોક્ષે જાય છે ત્યારે પુણ્ય અને પાપ બન્ને પાછાં વળી જાય છે, એટલે પુણયની પણ મર્યાદા – limit – બતાવી. તમને જે વસ્તુ મળી છે એ બહુ કામની છે; પણ ક્યાં સુધી કામની છે એટલું સમજો. તમે એની મર્યાદા – limit – ભૂલી ગયા છો અને શાશ્વત માનીને બેઠા, ત્યાં જ ભૂલ ખાધી. જ્ઞાનીઓએ કહ્યું કે પાંચ ઇન્દ્રિયો મહાપુણ્યથી મળે છે. સાથે સાથે એમ કહ્યું કે પાંચ ઇન્દ્રિયોને વાળતાં શીખો. “પચીદિય સંવરણો' એ ઇન્દ્રિયોને ખલાસ ન કરશો, એ ઇન્દ્રિયો કામની છે. જીવદયા પાળવા આંખ જેવું ઉત્તમ સાધન એક પણ નથી, ઉત્તમમાં ઉત્તમ જીવ હોય પણ એ અંધ હોય તો દીક્ષા એને ન અપાય, કારણ કે દીક્ષામાં મુખ્ય ઉદ્દેશ જીવદયા પાળવાનો છે અને આત્મસાધનામાં નિર્ભર રહેવાનો છે. પૂર્ણાષ્ટક = ૩૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy