SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ દૂરથી જુઓ તો પાણીનો કૂંજો લાગે. કોકને થાય ખેતીવાડીના પ્રદર્શનમાં કુંભારે બનાવેલા કૂંજાનું શું કામ પડ્યું ? પણ નજીક આવતાં ખ્યાલ આવ્યો કે એ કુંભ નથી, Jug નથી પણ એક કોળું હતું. બધાને આશ્ચર્ય થયું. બધી જાતના આકારો થાય પણ કોળામાં કુંભનો આકાર કેવી રીતે ? ખેડૂતને પૂછ્યું તો કહ્યું: મેં અખતરો experiment કર્યો. કાળું નાનું હતું ત્યારે કૂંજામાં મૂકી દીધું. ધીમે ધીમે પેલું અંદર વધતું ગયું. વધતાં વધતાં જ્યારે એનો વિકાસ growth પૂરો થવા આવ્યો ત્યારે કુંભ ઉપરનું પડ Outer shell તોડી નાખ્યું. અંદરથી કૂંજા જેવું કોળું નીકળ્યું. આપણા જીવનને શું આ સિદ્ધાંત લાગુ પડતો નથી ? માણસ પોતાના વિચારોની કેદમાં કેદી છે. માન્યતાઓની જંજીરો એને મુક્ત થવા દેતી નથી. માન્યતાઓ બહાર છે. માણસ અંદર છે. પોતે જ પોતાને પિત્તળ માને તો એને સોનું કોણ બનાવી શકે ? વિચારો જ મર્યાદિત હોય, એમાં જો અમંગળ તત્ત્વ ભરેલું હોય, એમાં નિમ્નતા પડેલી હોય તો માણસ કોઈ દિવસ ઊંચે નહિ જઈ શકે, કારણ કે બહાર રહેલી વસ્તુ અંદર રહેલી વસ્તુને દબાવે છે, એને આકાર આપે છે. વિચારો જો ઊંચા હોય તો વ્યક્તિત્વ ખીલે છે. વ્યક્તિત્વની ઉપર વિચારોનો કુંભ છે, એ જ આવરણ બનીને આકાર આપી રહ્યો છે. તમને એવો કોઈ માણસ નહિ મળે જે પોતાના વિચારો કરતાં આગળ ગયો હોય. વિચારોની મર્યાદામાં જ માનસ મોટું થાય છે. માણસ વિચારોને ઘડે છે, પછી વિચારો જ માણસને બાંધી લે છે. આ એક અન્યોન્ય યુક્તિવાળો ન્યાય છે. પોતે જ કરેલા વિચારો બહાર આવીને ચોકિયાત થઈને ઊભા રહે છે. વિચાર જેટલા પ્રમાણમાં હોય એટલા જ પ્રમાણમાં માણસ બહાર જઈ શકે, આગળ વધી શકે. શેઠ કોઈ અનાડી ચોકિયાતને પસંદ કરી નોકર રાખે અને કહે : “તારે હવે આ બારણા ઉપર ઊભા રહેવાનું છે; કોઈનેય બહાર જવા દેવાનો નથી અને બહારવાળાને અંદર આવવા દેવાનો નથી.” હુકમ કર્યો એટલે એ દ્વારપાળ બનીને ઊભો રહે. પછી શેઠ કહે : “મારે બહાર જવું છે.” તો કહે : “નહિ જવા દઉં” “કેમ ?” “તમે જ મને હુકમ કર્યો છે. હું વફાદાર નોકર છું. આજ્ઞાપાલન પહેલાં.” એમ તમે જે વિચાર કરો છો એ જ વિચારો તમારા દ્વારપાળ બની જાય છે, ચોકિયાત બની જાય છે. બહાર જવા ન દે, અંદર આવવા ન દે. માણસ વિચાર કરે અને વિચાર માણસને પોતાનામાં પૂરી રાખે. સંપ્રદાયોમાં પુરાઈને ૨૨ છે. માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy