SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ થાય.'' વિચારો, ક્ષમા કરો એમ કહેનાર કોણ ? અને પેલું કૃત્ય કરનાર કોણ ? જ્યાં પાછો માણસ આવ્યો એટલે કહે છે કે ક્ષમા કરો. પણ જ્યારે એ કામ કર્યું ત્યારે એ માણસ નહોતો. માણસ આવેશમાં આવીને કાંઈ કરી બેસે છે ત્યારે એ માણસ જ નથી. હોતો. આંતરવૈભવ એટલે સ્વનું દર્શન. આ દર્શન થતાં સમજાય છે કે માણસમાં એક એવું તત્ત્વ છે જે સુંદર, સુવાસિત અને શાશ્વત છે. ચિન્તન અને ધ્યાન વિના આ તત્ત્વ ઝાંખું થયું છે. બહારથી મેળવેલી ભૌતિક વસ્તુઓ વચ્ચે આપણો ખુદા ઢંકાઈ ગયો છે. જીવનની સુંદરતા દેખાતી નથી, પોતે પોતાને જોતો નથી અને પોતે સ્વને બહાર શોધે છે. તક ગયા પછી માણસ ગમે તેટલો પશ્ચાત્તાપ કરે પણ એને કાંઈ મળતું નથી, માનવભવમાં મળેલી આ તક આવા વાતાવરણથી ઢંકાઈ ન જાય માટે મળેલાં સાધનો સાધકને સાધ્યની દિશામાં લઈ જાય છે કે નહિ એમાં જાગૃત રહેવાનું છે. સાધન સાધન છે એ ખરાબ નથી. સાધક સાધનનો ઉપયોગ કરી જાણે તો જગતનાં બધાં જ સાધનો એના વિકાસનાં સહાયક તત્ત્વ બની જાય છે. જે અંદ૨ એકાગ્ર નથી બનતો, એકચિત્ત નથી બનતો, સંગીતમય અને સંવાદમય નથી બનતો તે કોઈ જ સર્જન નથી કરી શકતો. દુનિયાના મોટા વૈજ્ઞાનિકોએ જીવનને મોજમજાહ કરવામાં, સિનેમા, નાટક અને ક્લબોમાં ખલાસ નહોતું કર્યું. તેના જ પરિણામે આ નવસર્જન છે. આઇન્સ્ટાઈનને પોતાની ધૂનમાં બે મહિના સુધી દાઢી કરવાનો ખ્યાલ પણ નહોતો આવ્યો. માટે આપણે માત્ર સાધન તરફ જ ન જોઈએ, સાધક તરફ જોઈએ, વિશ્વભરનાં સંશોધકોની શોધનાં પરિણામોનો માત્ર ઉપભોગ જ કર્યા કરીએ અને વળતરમાં વિશ્વજીવનને કાંઈ જ ન આપીએ તો આપણે દેવાદાર બનીને નથી જતા ? આપણા એક એક દિવસના જીવનમાં અસંખ્ય જીવોનું જીવનદાન છે. આપણો જીવનપ્રવાસ ચલાવવા આપણે હિંસા ઘટાડીએ અને જીવદયા વધારીએ. ધિક્કારને જીવનમાંથી બહાર કાઢી, પ્રેમને મનના અણુએ અણુમાં ઘૂંટીએ, મૈત્રીના પ્રકાશથી વેરના અંધકારને કાઢી જીવન પ્રત્યે આદર કેળવીએ . સાધક પ્રબુદ્ધ હોય તો બહારનાં સાધનો અંદ૨ના જીવનને ઘડવામાં કેવો મદદગાર બને છે એ વિચારીએ. ખેતીવાડીના પાકના પ્રદર્શનમાં એક ખેડૂતે એક સુંદર ફળ મૂક્યું હતું. Jain Education International માનવતાનાં મૂલ્ય : ૨૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy