SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સલામતી માને છે એ તત્ત્વ માટે નહિ, સંપ્રદાય માટે જીવે છે. સંપ્રદાય પછી ધર્મનો હોય કે પ્રાંતનો, ભાષાનો હોય કે માન્યતાનો. એ બંધન છે, બેડી છે. ઘણાખરા માણસો અમુક વિચારો નક્કી કરે છે, પછી એની બહાર જઈ શકતા નથી. જ્યાં સુધી બહાર ન જાય ત્યાં સુધી બહાર રહેલા પ્રકાશપૂર્ણ અનંત જગતનું એને દર્શન ક્યાંથી થાય ? કેટલાક માણસો સુધારક હોવાનો, વિચા૨ક હોવાનો દાવો કરે છે પણ અવસર આવતાં એ ત્યાંના ત્યાં જ હોય. બહાર જવાનો દેખાવ કરે પણ જઈ ન શકે. જોર કરે છે પણ પેલા વિચારો ખૂબ જોરદાર હોય છે. હંમેશાં શેઠ કરતાં ચોકિયાત પહેલવાન હોય છે. શેઠ જોર કરવા જાય તો એ બાવડાથી પકડી બેસાડી દે : ‘બેસી જાઓ શેઠ !'' શેઠ શું કરે ? પેલો મોટો છ હાથનો અને આ નાનકડો માણસ, પકડીને બેસાડી દે. તમારા વિચારો એટલા બળવાન બની જાય છે કે તમે આંખ બંધ કરી ધ્યાનમાં પરમાત્માના દ્વારે પહોંચવા પ્રયાણ કરો ત્યાં પેલા જૂના રીઢા વિચારો રોકે : અહીંથી આગળ નહિ જવાય. તમે કહો : મારે બહાર જવું છે, પણ ત્યાં પેલા બંધ દ્વારની દીવાલો સામે આવે, સામે અંધારું આવે, તમારું મન શૂન્ય બની જાય, તમને કાંઈ જ ન જડે. માનસિક ભૂમિકા એવી થાય કે તમે અંદર ને અંદર ગૂંગળાઈ જાવ. પછી એક જ રસ્તો રહે. ધ્યાન નથી ધરવું. જ્યારે જ્યારે ધ્યાનમાર્ગ પર પ્રયાણ કરું છું ત્યારે ન આવવાના વિચારો આવે છે, મૂંઝવણ ઊભી થાય છે, ગભરામણ થાય છે, ચેન પડતું નથી, એકલું અંધારું જ અંધારું, infinite darknesss દેખાય છે.” પ્રકાશને પ્રદેશની મર્યાદા નથી કે સંપ્રદાય નથી. પવનને કોઈ પંથ કે જ્ઞાતિ નથી. પાણીને કોઈ સીમા કે ભાષાનું બંધન નથી. પૃથ્વી સૌને આધાર આપે છે. પ્રકાશ, પવન, પાણી અને પૃથ્વીને આધારે જીવતો માણસ, માણસનો દુશ્મન કેમ ? કારણ શું ? તમારી માન્યતા આસપાસ ચારે બાજુથી માન્યતાએ તમને પૂરી દીધા છે, અનંત તરફ પ્રયાણ કરતા માણસને વિચા૨ની સંકુચિતતાએ મર્યાદિત કરી મૂક્યો છે. મુખ્ય વાત શું છે ? વિચારો છે. વિચારોની એક દુનિયા છે. કાર્ય અને ભાષાની દુનિયા દેખાય પણ વિચારોની દુનિયા અદૃશ્ય છે; જે નથી દેખાતી પણ કાર્ય અને ભાષા અને કરનાર, વિચાર કરનાર કોણ છે ? આત્મા છે. આત્મા જેટલા પ્રમાણમાં શુદ્ધ અને શુભ તત્ત્વ હોય એટલા પ્રમાણમાં એ શુભ તત્ત્વ ભાષામાં અને આચરણમાં આવે. ઘણા માણસો ખરાબ કામ કરવા નથી માગતા, ઇચ્છતા હોય, ‘અમે Jain Education International માનવતાનાં મૂલ્ય * ૨૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy