SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ એ કહે બતાવવા ન આ બાજુ જાઓ, લોક ? કોઈ બાપ. विद्वत्वं च नृपत्वं च नैव तुल्यं कदाचन । स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते ।। રાજા તો પોતાના દેશમાં પુજાય, પણ વિદ્વાન તો દુનિયાના ગમે તે છેડે જાય પણ એ પુજાય. વિદ્યાની ઉપાસના કરવા માટે સર્વ તૈયાર છે. જ્ઞાનની આ શક્તિ છે. દસાડાના મારા ચોમાસામાં દરબાર સાહેબ આવે, દીવાન આવે, નગરશેઠ આવે એટલે ગામના બધા જ આવે. રાજા આવે ને આખું સભાગૃહ ઊભું થઈ જાય. ત્યાંથી હું અમદાવાદ ગયો અને દરબાર ત્યાં મળવા આવ્યા. પોળોમાં ફરી ફરીને થાક્યા, અંતે એક કલાક પછી ઉપાશ્રયે આવ્યા. કહે : “આપને શોધવામાં કલાક નીકળી ગયો.” મેં પૂછ્યું : “કેમ ? કોઈ બતાવવા ન આવ્યું ?” “એક કહે : “ડાબી બાજુ જાઓ,” બીજો કહે : “જમણી બાજુ જાઓ કોઈ બતાવવા ન આવે.” મેં કહ્યું : “તમે તો દરબારશ્રી છો ને ?” એ કહે, “દરબાર દસાડાના, અહીં કોણ પૂછે ?' કેટલાક માણસો કોઈ ઠેકાણે everything હોય, બધાથી પુજાય, પુછાય. ત્યાંથી થોડેક દૂર જાય એટલે something થોડાક એમણે જાણે. એથી દૂર જાય એટલે nothing કોઈ જ ન જાણે. ધનની, સત્તાની સપ્રતિષ્ઠાની આ મર્યાદા છે. પ્રેમમાંથી, વાત્સલ્યમાંથી, એકબીજાના ભાઈચારામાંથી, ધર્મમાંથી, સમજણમાંથી આવતી પૂર્ણતા અમર્યાદ છે. આ બધી અંદરની વસ્તુઓ છે. એમાં કાંઈ અણસમજ નહિ, ઉપદ્રવ નહિ. અંદરની પૂર્ણતા આવે છે સમજણથી. બે સમર્થ, જ્ઞાની પંડિત બંધુઓ રહેતા હતા. વૃદ્ધાવસ્થામાં એકે કહ્યું, જમીન છે, પૈસો છે એ વહેંચી છોકરાંઓને આપી દઈએ, જેથી છોકરાંઓ શાંતિથી રહે.” મોટાભાઈને ત્રણ દીકરા અને નાનાભાઈને એક દીકરો, મોટાભાઈએ વહેંચણી કરી, બરાબર અડધા બે ભાગ પાડ્યા, કહ્યું : “અડધી લક્ષ્મી તારાને, અડધી મારાને.” નાનાભાઈએ કહ્યું : “આજ સુધી તમારા ન્યાય પર મને વિશ્વાસ હતો, પણ આજ મને દુઃખ થયું છે.” મોટો ડઘાઈ ગયો, “મારી વહેંચણીમાં અન્યાય ?'' નાનાભાઈએ કહ્યું : “ભાઈ, આ વહેંચણી તમારા કે મારા માટે નથી. આ વહેંચણી કોના માટે છે ? છોકરાઓના ભાગની વહેંચણી છે. મિલકતના ચાર ભાગ થવા જોઈએ. તમે બે ભાગ કેવી રીતે કર્યા ? જુદા આપણે નહિ, દીકરાઓ પડે છે, એના ચાર ભાગ થાય તો જ ન્યાય થાય.' ૩૦૦ માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy