SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ શાલ કેવી સરસ છે ?” હજામને પણ વરઘોડામાં નિમંત્રણ આપેલું. એ કાન દઈને સાંભળે, હજામથી રહેવાયું નહિ, બોલી ઊઠ્યો, “શાલ સારી છે ? આપણી છે, શેઠને આપી છે, પણ તમારે કોઈને વાત નહિ કરવી. મેં શેઠને વચન આપેલું છે કે હું કોઈને નહિ કહું,” એમ કહેતો એ આખા વરઘોડામાં ફરી વળ્યો ! બાહ્ય ઉપાધિથી એ સારો લાગે પણ એને તો ચિંતા રહ્યા કરે. પારકી વસ્તુઓની રાતદિવસ ચિંતા રહે. કોઈ લઈ ન જાય, દંડી ન જાય, ખાઈ ન જાય. સ્વજનોથી સાવધાન રહે. બાપને થાય કે દીકરો લક્ષ્મી ખાઈ ન જાય, ભાઈને થાય કે મારો ભાઈ પૈસા હડપ કરી ન જાય. પૈસાથી સુખી દેખાય, પણ તમને ખબર નથી કે એની ચિંતા કેટલી મોટી છે ? આ તો મૃગજળ જેવું છે. સારું છે કે કરોડાધિપતિ અને અબજોપતિની આંતરિક દુનિયામાં તમને પ્રવેશ મળતો ત્યી અંદર જાઓ, ઊંડા ઊતરો, અંદર એકબીજા માટેની લાગણીઓનું વિશ્લેષણ કરો, એકબીજા માટે ઊભો થતો તિરસ્કાર જુઓ અને સ્વાર્થની લૂંટાલૂંટ જુઓ તો લાગે કે આપણે ખરાબ નથી; પણ લક્ષ્મી, સત્તા, અને પ્રભુતા આવીને માણસનાં મનને જુદાં પાડી નાખે છે. માણસો કદી ખરાબ નથી. જેવા ગરીબ હોય એવા જ શ્રીમંત હોય. માણસો બધા સરખા જ છે. દોષ માણસ કરતાં વસ્તુનો વધારે છે. જે વસ્તુ આપણી પાસે આવે છે એ વસ્તુને લીધે જીવનમાં વિષ આવી જાય છે. કેટલીક વાર સામાન્ય સ્થિતિમાં જે સુખ હોય છે, એ વસ્તુઓ ભેગી થતાં ચાલ્યું જાય છે. વસ્તુ તરફ સહુ કેન્દ્રિત થાય પછી વ્યક્તિ તરફ કોનું લક્ષ જાય ? બહારથી આણેલી પૂર્ણતા પછી એ રૂપની હોય, સત્તાની હોય, ડિગ્રીની હોય કે પદવીની હોય – એ ઉપાધિરૂપ છે. મનમાં સતત ચિંતા રહે, હરીફાઈ કરીને એમાં કોઈ આગળ નીકળી ન જાય એની જ ચિંતા રહે. આ ચિંતાને લીધે બહારની પૂર્ણતાને માગી લાવેલાં ઘરેણા જેવી કહી છે. પણ માણસની સ્વાભાવિક પૂર્ણતા, અંદરની પૂર્ણતા એ જાતિવંત રત્નની પ્રભા જેવી છે. જાતિવંત રત્નના ચૂરેચૂરા કરો, કટકા કરો પણ દરેક કટકાની અંદર જાતિવંત રત્નની કાંતિ, વિભા ભરેલી જ હોય છે. અંતરના ગુણોની પૂર્ણતા આવી જ છે. માણસની પાસે જે આત્મિક જ્ઞાન છે, એ ભાડૂતી કે માગી લાવેલું નથી, કોઈએ આપ્યું પણ નથી અને કોઈ ચોરી જાય એમ પણ નથી. માટે જ તત્ત્વજ્ઞાનીઓ. વિના અલંકારે પણ જગતમાં શોભે છે. પૂર્ણાષ્ટક * ૨૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy