SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ માટે આધ્યાત્મિક વાતો હજારની નોટ જેવી છે. પણ હજારની નોટના ચાહકો પણ છે જ. એને તમે બે આના આપો તો ફેંકી દેશે અને કહેશે હું કાંઈ આઇસક્રીમ કેન્ડી ચૂસું એવો બાળક નથી. આ વર્ગ આગળ નિદ્રાની, ભોગની, તૃષ્ણાની વાત કરો તો એને કંટાળો આવે, એને થાય એમાં છે શું ? એ તો પશુઓ પણ કરી શકે છે. હું એ માટે નથી જન્મ્યો, મારો જન્મ શ્રેષ્ઠ હેતુ માટે છે. આ વાત જેને સમજાઈ જાય છે એ શરીરની તૃષ્ણા જેનાથી પૂરી થાય એવા વિષયો અને વિકારોમાં જ જીવનને પૂરું કરતા નથી. બે પ્રકારના માણસ છે. બે પ્રકારની પૂર્ણતાના ચાહક છે. આધ્યાત્મિક અને ભૌતિક, ભૌતિક પૂર્ણતા પારકી ઉપાધિથી લદાયેલી છે જ્યારે આધ્યાત્મિક પૂર્ણતા સ્વાભાવિક છે. પારકી ઉપાધિથી ઊભી થયેલી પૂર્ણતા માગી લાવેલાં ઘરેણાં જેવી છે. રૂપ, યૌવન, ધન, ઐશ્વર્ય, સત્તા, પ્રતિષ્ઠા, પદવી આ બધી બહારની ઉપાધિઓ છે. બીજાઓ દે તો તમને મળે. ઘડીભર માણસ એનાથી સારો લાગે. શ્યામમાં શ્યામ માણસ પણ make-up કરે ત્યારે પ્રકાશના ઝગમગાટમાં સુંદર લાગે; વામણો માણસ પણ મિનિસ્ટર બને તો બીજે દહાડે છાપામાં ફોટાઓ આવે; આ બધી, વિશેષણોથી ઊભી થયેલી પૂર્ણતા છે. માગી લાવેલો દાગીનો ગમે તેટલો સુંદર હોય તો પણ પરકીય ચીજ છે. એને સાચવવાની બહુ બીક રહે છે, આખો દિવસ હાથ ગળા ઉપર જ રહે, સાચા હીરાનો હાર કોઈનો લાવ્યા હોય અને એકાદું નંગ પડી જાય તો તમારી મૈત્રીમાં જ વિષનાં બિંદુ પડે, સંબંધની મીઠાશ કડવાશમાં ફેરવાઈ જાય. એક દિવસની શોભા ખાતર જીવનભર રોવાનું ઊભું થાય. દાગીનાઓથી સરસ દેખાશે પણ મનમાં શાંતિ કે નિર્ભયતા નહિ હોય, એ મુક્તિથી વિચારી નહિ શકે; કારણ કે અંદર તો ધબકારા થયા જ કરે છે કે કોઈને ખબર ન પડી જાય, કોઈ કહી ન જાય ! વર્ષો પહેલાંની વાત છે, ગામડામાં ઘસાઈ ગયેલા નગરશેઠને ત્યાં લગ્નપ્રસંગ આવ્યો. શેઠને થયું : ઠઠેરો તો ક૨વો જોઈએ. પોતાની પાસે હોય નહિ અને pomp રાખવો એમાં દુઃખ બહુ થાય. શેઠે બધેથી આભૂષણો ભેગાં કરવા માંડ્યાં, એક હજામને ત્યાં રાજાએ આપેલી જરીની કીમતી શાલ હતી, શેઠે એ માગી લીધી અને કહ્યું : “પણ કોઈને કહેતો નહિ.” દીકરાને શાલ ઓઢાડી, મોટો વરઘોડો કાઢ્યો, બધા કહેવા લાગ્યા ‘ભાંગ્યું તોપણ ભરૂચ ! શેઠ ખલાસ થઈ ગયા તોય અંદરથી જૂની જૂની વસ્તુઓ કેવી નીકળે છે ? Jain Education International ૨૯૮ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy