SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં આવી અંદરની સમજણ આવે છે ત્યાં મળેલી લક્ષ્મી છોડવામાં પણ આનંદ આવે છે. સમજુ માણસ વિચારે કે હું બહાર જઈને દાન કરું, તો ઘરમાં વહેંચણી વખતે શા માટે દ્વેષ કરવો ? અંદરની સમજણ અંદરનું જ્ઞાન રનની પ્રભા જેવું છે; આ જ્ઞાનપ્રકાશથી આ લોકમાંય અજવાળું થાય. આ લોક બગડ્યો છે. ઝઘડા થાય છે. અંદર અંદર લોકો બાઝે છે, એક ખોળામાં ઊછરેલા ભાઈઓ સત્તા, ધન, પદવીઓ આવે ત્યારે જુદા પડી જાય છે, કારણ કે અંદરની સમજ નથી, અંદરનો આવો કોઈ પ્રકાશ પ્રગટ્યો નથી. અંદરની પૂર્ણતા એ પોતાની પૂર્ણતા છે, એ પોતાના હૃદયના પૂર્વ આકાશમાં જ ઉદય પામે છે. જ્યાં આ જ્ઞાનનો ઉદય થયો ત્યાં વ્યક્તિમાં ત્રુટીઓ, ભૂલો જોઈને પણ કરુણા આવશે. અજ્ઞાન એ પક્કડ છે. જ્ઞાન એ મુક્તિ છે. દુ:ખ ક્યાં છે ? પકડવામાં, છોડવું તે સુખી થયો. પ્રભુ મહાવીરે શિષ્યોને આ જ વાત કહી : “જે પકડી રાખે છે એ દુઃખી થાય છે, છોડે છે એ સુખી થાય છે.” શિષ્ય આ વાતને યાદ કરતો આહાર લેવા જાય છે. એક વાત જ્યાં સુધી હૈયે જચે નહિ, ત્યાં સુધી બહુ વાતોને ન પકડવી. એક વાતને ઘૂંટ્યા કરીએ તો એ વાત આપણી બની જાય છે. એકનો કબજો કર્યા પછી બીજાની વાત. શિષ્ય આ વાક્ય વિચારતો વિચારતો જાય છે. રસ્તામાં એક હાડકાનો ટુકડો પડ્યો હતો, એના ઉપર પંદર કૂતરાં તૂટી પડ્યાં. એક જબરજસ્ત કુતરાએ હાડકું મોઢામાં લીધું તો બાકીના ચૌદ એક થઈ એના પર તૂટી પડ્યાં. પેલો કૂતરો હેરાન હેરાન થઈ ગયો, થાકી ગયો. હાડકું મૂકીને ખૂણામાં આવ્યો. ત્યાં ચૌદમાંના જ એકે હાડકું પકડયું. એટલે તેર એના પર તૂટી પડ્યા, એણે પણ થાકીને હાડકું મૂક્યું. ખૂણામાં ભાગ્યો, હવે જે હાડકાનો કટકો પકડે એના ઉપર બાકીનાં તૂટી પડતાં. હાડકું પકડે એ ગયો. બાકીનાં એક. લૂંટમાં જે મિત્ર એ જ વહેંચણીમાં વેરી. લેવાનું આવે તો એક, વહેંચવાનું આવે ત્યાં ઝઘડો. આધ્યાત્મિક પુરુષને જ્ઞાનની, ચારિત્રની, સુવિચારોની, ભક્તિની, શુભ કાર્યો કર્યાની પૂર્ણતાનો સંતોષ છે. આ કાર્યોની તો હરીફાઈમાં પણ મજા આવે. દુનિયાની વસ્તુઓની હરીફાઈમાં ઝઘડો થાય પણ આત્માની વાતમાં તો આનંદ થાય. આરાધના સાથે કરતાં કેવો અપૂર્વ આલાદ થાય છે ! પણ પૂર્ણાટક : ૩૦૧ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy