SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ એવી કોઈ પળ આવતાં આજનો ખરાબમાં ખરાબ માણસ કાલે સારો થઈ જાય. આપણને ખબર નથી કે કયો આત્મા, કયા પ્રભાતની કઈ ક્ષણે જાગી જવાનો છે. એ જોવાની શક્તિ અપૂર્ણમાં નથી. જે સત્, ચિત્ અને આનંદથી પરિપૂર્ણ હોય તેને જ આ પૂર્ણતા દેખાય. બાકી કાગડાને તો ચાંદા સિવાય શું દેખાય ? તો એવું કેમ ન બને કે આપણે બધા આજે ક્રોધમાં, મોહમાં, માનમાં, મમતામાં પડેલા બાળકોની જેમ ધૂળમાં આળોટતા આત્માઓ દિવસ પરમાત્માના પંથે પ્રયાણ કરીએ ? કોઈક પૂર્ણ આત્માની કેવળશ્રીના સુખમાં મગ્ન અને દર્શન, જ્ઞાન અને ચારિત્રથી એવા સચ્ચિદાનંદથી પરિપૂર્ણ આત્માને આખું જગત જાણે લીલામાં લાગ્યું ન હોય તેવું પૂર્ણ લાગે. Jain Education International ૨૯૬ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy