SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ આસક્તિ પરિગ્રહ કરાવે છે – જ્યારે તમારામાં ઊંડી પરિગ્રહવૃત્તિ હોય છે ત્યારે તમે બીજી વ્યક્તિને ખિસ્સામાં રાખવાની વસ્તુ માની તેની સ્વતંત્રતા ઝૂંટવી લો છો... તેનું વ્યક્તિત્વ મિટાવી દઈ તમારી ઇચ્છાનું રમકડું બનાવવા માંગો છો. તમારું પ્રેમપાત્ર બીજી કોઈ તમારી અણગમતી વ્યક્તિ સાથે વાત ન કરે, તેવું તમે ઇચ્છો છો. શત્રુનો શત્રુ તમારો મિત્ર બને છે. શત્રુનો મિત્ર તમારો મિત્ર બની શકતો નથી. તેથી તમારી અંધ ઇચ્છાઓ દ્વારા તમે બીજાને જુઓ છો, માટીની જેમ તમે તેને ઘાટ ઘડવા માંગો છો. તમારું કહ્યું ન કરે ત્યાં તુરંત જ તમને ધિક્કાર ઉત્પન્ન થાય છે. ક્રોધ ઉત્પન્ન થાય છે. તમે તમારા પ્રેમપાત્રને મુક્ત રીતે જીવવા ન દો તો તેનાથી તેનો વિકાસ પણ રૂંધાઈ જાય છે. માણસ ભૂલોમાંથી શીખે છે. વિકાસ માટે જુદી જુદી જાતનાં દુઃખો સહન કરવો જરૂરી છે. સર્વવિકાસમાં સ્વાર્થત્યાગ, સહનશીલતા અનિવાર્ય છે. ગ્રેજ્યુએટ થવા માટે રમતગમત, મનોરંજન વગેરે મૂકી દેવાં પડે છે. માતા ગર્ભધારણ કરી માતૃત્વનો આનંદ મેળવવા માટે પ્રસવ વેદના વગેરે કેટલું બધું સહન કરે છે ! આસક્તિરહિત પ્રેમ માટે પોતાનો અહં, પશુવૃત્તિ પરિગ્રહવૃત્તિ વગેરે ઘણું છોડવું પડે છે. તેથી જે કંપની અને કર્મનું વિજ્ઞાન જાણે છે તે લોકો તેનાથી અજ્ઞાત લોકો કરતાં જુદી રીતે જીવે છે. તે જાણે છે કે અંદરના કષાયો કંપનો ઉત્પન્ન કરે છે, જે કર્મબંધ કરે છે. તેથી તેઓ મુખ્યત્વે જીવનમાં “સંવર’ – કર્મબંધને અટકાવવાનો પ્રચંડ પુરુષાર્થ કરે છે. તેથી જેમ રેડિયો સ્ટેશન યા ટી.વી. સ્ટેશન ઉપર માઈક આગળ ઊભેલો માણસ બોલતાં પહેલાં, ચેષ્ટા કરતાં પહેલાં શાન્તિથી વિચારે છે, તેમ દુનિયામાં માણસ મન-વચન-કાયાની કોઈ પણ પ્રવૃત્તિ કરતાં પહેલાં કેવો કર્મબંધ થશે તે વિચારે છે, કારણ કે આ બંધ મુજબ તેને ફળ મળવાનું છે. જેવાં સંવેદનો ફેંકો તેવાં પાછાં ફરે છે. ભાવના તેનું ફળ. એક કથા આ સિદ્ધાન્તને વધુ સ્પષ્ટ કરશે. એક પ્રૌઢ સ્ત્રી પોતાની યુવાન દીકરી સાથે દસ માઈલ દૂર એક ગામમાં સગાંવહાલાંને મળવા જતી હતી. ઘણું ચાલ્યા પછી છોકરી થાકી ગઈ. આ વખતે રસ્તામાં એક માણસ ઊંટ પર બેસીને આવ્યો. પ્રૌઢાએ આ ઊંટસવારને તેની છોકરીને ઊંટ પર બેસાડી સગાના ગામે પહોંચાડવા વિનંતી કરી. ઊંટસવારને એ વખતે આ માંગણી ન ગમી એટલે છોકરીને ઊંટ પર બેસાડવા ઇન્કાર કર્યો, અને ત્યાંથી તે આગળ વધ્યો. થોડાક સમયમાં તે માણસનો વિચાર બદલાઈ ગયો. તેને વિચાર આવ્યો જડ-ચેતનનું ભેદજ્ઞાન : ૨૮૩ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy