SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ કે “હું કેવો મૂર્ખ છું કે આવી સુંદર કન્યા અને તેનાં મૂલ્યવાન ઘરેણાં બંને જવા દીધાં ? ઊંટ પર બેસાડી હોત તો આ બંનેનો લાભ મળી શકત. પાછો જઈ કન્યાને લઈ આવું.” આ દરમિયાન પેલી પ્રૌઢાના વિચારો પણ બદલાયા. તેનેય વિચાર આવ્યો કે “હું કેવી મૂર્ખ કે આવા અજાણ્યા માણસ સાથે ઘરેણાં પહેરાવેલ મારી સુંદર યુવાન પુત્રીને મોકલવાનું મેં વિચાર્યું ? આવી મૂર્ખાઈથી શું ને શું ન થાત !'' ત્યાં આગળ જતાં ઊંટસવારે આ યુવાન કન્યાને ઊંટ પર બેસાડી લઈ જવાની તૈયારી બતાવી. પેલી પ્રોઢાએ હસીને જવાબ આપ્યો કે, “તને કહી ગયો તે મને કહી ગયો !” તને જે વિચાર આવ્યો તેનો મને અણસાર થઈ ગયો ! પહેલાં મેં ‘હા' કહી ત્યારે તેં ‘ના' કહી, તે વખતે આપણે બંને પ્રામાણિક હતાં. પણ હવે તારા મનમાં પાપ ભરાયું છે, જેથી મારા મનમાં પણ શંકા જન્મી છે.” જે માણસ પ્રકૃતિનો નિયમ સમજતો નથી, તે પોતાની હારને આમંત્રે છે. એકાંતની ક્ષણોમાં આપણે અશુભ વિચારો કરીએ છીએ જેનું મનન વધતાં તે એવાં ચીકણાં બને છે કે જેનો નાશ કઠિન છે. તેનાં ફળ ભોગવવાં જ પડે. આ વિશ્વમાં દરેક ક્ષણે ‘કંપનો’ ઉત્પન્ન થાય છે. વસ્તુઓનું પરિવર્તન થાય છે. તેથી જ ઊંચામાં ઊંચુ ધ્યાન આત્મજાગૃતિ છે. આ જાગૃતિમાં તમે ગમે તે પ્રવૃત્તિ કરતા હો છતાં તમારું ‘ધ્યાન' ઉપયોગમાં છે, તમારી દરેક પ્રવૃત્તિથી કયા પ્રકારનાં કંપનો ઊભાં થાય છે તેની તમને સતત જાગૃતિ છે. આવી સતત જાગૃતિથી જીવન આનંદની પ્રક્રિયા બને છે, સમૃદ્ધનો પથ બને છે. સમૃદ્ધિ એટલે શું ? સમૃદ્ધિ એટલે અંતરાત્માના અવાજ પ્રમાણે મુક્ત રહીને જીવવાની સ્વતંત્રતા. તમારે જેની પર કાબૂ મેળવવો હોય તેનો કાબૂ મેળવવો, બીજાને રચનાત્મક રીતે પ્રભાવિત કરવા, અને તમારા તંત્રને નીરોગી વિચારોથી ભરવું, વિશ્વનો નિયમ ગરીબીનો નથી. આપણે જો શારીરિક, માનસિક યા આધ્યાત્મિક દૃષ્ટિથી દરિદ્ર લાગતાં હોઈએ તો, તેનું કારણ આપણા જીવન અને વિચાર પ્રત્યેના આપણા અભિગમમાં કાંઈક ખામી છે. આ તત્ત્વજ્ઞાન આપણને બીજા કોઈની કૃપા, મહેરબાની યા પક્ષપાત પર આધાર રાખવાની મના કરે છે. આ સિદ્ધાંત સૂર્ય અને વરસાદના જેવો છે. સૂર્ય અને વરસાદ બધા માટે છે, પછી “મારા ભગવાન, તમારું સ્વર્ગ, હું તમને સાંભળું તો મારા ભગવાન નાખુશ થશે.” વગેરે. સંકુચિતતા માટે અવકાશ જ ન રહે. જે સ્વર્ગમાં ઝઘડા અને પક્ષપાત હોય ત્યાં કેવી દુઃખદ સ્થિતિ થાય ! Jain Education International ૮૪ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy