SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મથી આપણે રેડિયો સ્ટેશનમાં છીએ. પણ જીવનમાં કોઈ લાલબત્તી નથી. જીવનમાં માત્ર શબ્દ યા પ્રતિચ્છાયા સફર કરે છે તેવું નથી, પણ તમે જે કંઈ વિચારો તે પણ વિશ્વમાં પ્રસરી ઘૂમીને પડઘાની માફક પાછું ફરે છે. આપણે જો વિશ્વમાંથી સુંદરતા મેળવવી હોય તો મૈત્રીપૂર્ણ શુભ વિચારો પ્રસારવા જોઈએ, આપણે જો અશુભ કંપનો ફેંકીએ તો સારાં કંપની અને શાન્તિ શી રીતે મળે ? આપણી અશુભ ભાવનાનાં અશુભ ફળ મળે એમાં નવાઈ જેવું શું છે ? જેમ શબ્દ, ચિત્ર વગેરે મેળવવા યોગ્ય રેડિયો સ્ટેશન યા ટેલિવિઝનની ચેનલ યા નંબર મેળવવા પડે, તેમ વિશ્વમાંથી સુંદર કંપનો મેળવવા પણ યોગ્ય કેન્દ્રોનો સ્પર્શ કરવો પડે. આ માટે આપણામાં રસ અને બુદ્ધિ અને જરૂરી છે. આપણામાં બધી શક્તિ છે, પણ જેમ યોગ્ય સંચાલક વિના યંત્ર ન ચાલે તેમ આપણી શક્તિને પ્રગટ કરવા યોગ્ય રસ્તા પર ચાલવું પડે, જીવનનું આપણું આ જ ધ્યેય છે, આપણી મૌલિક શક્તિને કેવી રીતે પ્રગટ કરવી ! કર્મ વિજ્ઞાન એ વિશ્વ અને સ્વના ઊંડા દૃષ્ટાઓના જીવંત અનુભવ પર રચાયેલું વિજ્ઞાન છે. માત્ર શ્રદ્ધા નહિ, પણ તમારા પોતાના અનુભવથી આ તત્ત્વજ્ઞાનને કસવાનું છે. કર્મની પ્રક્રિયા આ છે : જ્યારે તમને રાગ યા દૈષ થાય, ત્યારે કંપન ઉત્પન્ન થાય છે, જે વિશ્વમાં પ્રસરતાં કર્મરજને આકર્ષી તમારા પર ચોંટાડે છે, અને તમારી સ્પષ્ટ દૃષ્ટિને આવરે છે. ટેપરેકોર્ડરના રેકોર્ડિંગ હેડ પર કચરો હોય તો ટેપનો અવાજ બરાબર ન સંભળાય, તેવી જ સ્થિતિ તમારા આત્માની થાય છે. આ કર્મબંધન તમારી શુદ્ધ ચેતનાને આવરી તેના સંપર્કના અનુભવને અટકાવે છે. આ કર્મરજની – બંધનની ઘનતા યા મંદતાનો આધાર તમારા કષાયોની ઘનતા યા મંદતા પર આધાર રાખે છે. આ કર્મબંધનથી ઘણા શારીરિક અને માનસિક રોગો ઉત્પન્ન થાય છે. આ કર્મો શું છે ? વિશ્વમાંથી ખેંચેલી કર્મજ આત્મા સાથે ચોંટે એટલે તે કર્મ બને છે. આ પ્રક્રિયા અતિ સૂક્ષ્મ છે. ચેતના સાથે આ કર્મજ ત્યારે જ ચોંટે જ્યારે આત્મા પ્રમાદમાં હોય, જાગૃત ન હોય. પ્રમાદ અવસ્થામાં રાગ યા વેષ ઉત્પન્ન થાય છે. રાગ કેવી રીતે ઉત્પન્ન થાય છે ! પ્રેમનું જ્યારે વાસનામાં રૂપાંતર થાય છે ત્યારે તે પ્રેમ રહેતો નથી. શરીર-રૂપનું આકર્ષણ એ વાસના છે. આત્માના ગુણોનું આકર્ષણ એ પ્રેમ છે. વાસના બંધનરૂપ બની ઘૂણામાં પરિણમે છે. ૨૮૨ ૪ માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy