SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ બંધાય છે. જેનાથી બીજા ભવમાં તેની બુદ્ધિ અતિ મંદ હોય છે. મૂર્ખ જેવો પણ બની શકે છે. જે માણસ કરુણાથી પ્રેમથી બીજા જીવોને સહાય કરે છે, તે શાતાવેદનીય કર્મ બાંધે છે, જેનાથી બીજા ભવમાં જન્મથી ચારેબાજુ તેના પર સુખશાંતિની વર્ષા થાય છે. આવો માણસ બધે બહુમાનને પાત્ર પણ બને છે. બીજી બાજુ જે માણસ બીજાને ધિક્કારી તેમને નુકસાન પહોંચાડે છે તે અશાતા-વેદનીય કર્મ બાંધે છે, તથા બીજા ભવમાં તેને પીડા-દુ:ખ ભેટે છે. લોકો તેને ધિક્કારે છે. ભલે પછી તે આ ભવમાં લોકો માટે ઘણાં સેવાનાં કાર્યો કરતો હોય. વધારામાં જે માણસ માત્ર બીજાને પીડા પહોંચાડતો નથી, પણ વગર કારણે બીજાનું જીવન પણ હરી લે છે. દા.ત. શિકારી માત્ર પીડામાં પરિણમનારાં ભયંકર કર્મો જ બાંધતો નથી, પણ સાથે સાથે અલ્પાયુ પણ બાંધે છે. જીવોના પ્રતિ મૈત્રી અને કરુણા ઉપજાવનાર અભયદાની શાતા વેદનીય દીર્ઘાયુ બાંધે છે. તમારું શરીર સુંદર હોય પણ બીજા કદરૂપાની મશ્કરી કરો, તેના પ્રતિ શબ્દો, સંજ્ઞાઓ, ઠઠ્ઠા-મશ્કરીઓ, હાસ્ય યા ઘૃણા કરો તો તેનાથી અશુભ શરીર બંધાવનાર કર્મોને તમે આમંત્રણ આપો છો. તમે સ્વનિરીક્ષણ કરો. તમારામાં કોઈ ખામી દેખાય તો તમે તમારી જાતને કહો કે “પૂર્વે મેં અજ્ઞાનવશ કોઈની મશ્કરી કરી બીજાને પીડા પહોંચાડી છે. મારી ખામી મારા પૂર્વનાં આવાં અશુભ કર્મોને લીધે છે.' તમે અમુક માબાપને ત્યાં જન્મ્યા. શા માટે ? તેનું પણ કારણ છે, કારણ કે કોઈ કાર્ય કારણ વગર થઈ ન શકે. આ માબાપ તમારી પસંદગીનાં છે યા તેમની પસંદગીનું તમે પાત્ર છો. પૂર્વભવના સંબંધો પર આધારિત આ ઊંચ યા નીચ ગોત્ર હોઈ શકે. પૂર્વનો સંબંધ જો પીડાજનક હશે તો તેનો બદલો લેવા તમે આવ્યા છો, અથવા તો માબાપના પુણ્યે પૂર્વકર્મોના ઉત્તરરૂપે તમે સેવા ક૨વા આવ્યા છો. સૌથી મહત્ત્વનું છે તમારું જીવનસ્વપ્ન. તમારા ઘડતરની આ પ્રથમ માટી છે. તમારા વિશિષ્ટ વિચારો, ભાષા, કાર્યોના આધારે અર્થાત્ પૂર્વની મન-વચન કાયાની પ્રવૃત્તિથી બંધાયેલ કર્મો અનુસાર તમને આ ભવમાં એવું કુટુંબ મળશે જ્યાં તમારું પૂર્વભવનું જીવનસ્વપ્ન સિદ્ધ થશે. આ કારણોને લીધે જ આ વિશ્વમાં તમારી કાંપી જેવી બીજી કાર્બન વ્યક્તિ ક્યાંય મળશે નહિ ! Jain Education International જડ-ચેતનનું ભેદજ્ઞાન * ૨૭૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy