SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ તમારું જીવનસ્વપ્ન જેટલું તમારા હૃદયમાં ઊંડું ઊતર્યું હોય તેટલું જ જીવન પ્રત્યેના જીવંત અભિગમની અને સ્વપ્નસિદ્ધિની નજીક આવી શકાય છે. દા.ત. જે આત્માઓ ઘણા લાંબા સમય સુધી ત્રણ-ચાર ભવ સુધી જગતના બધા આત્માઓને દુઃખ, પીડા, હિંસામાંથી બચાવવા, તેમને ધર્મરસિયાં કરવાની ઉત્કટ ભાવના રાખે છે કે તેમનો અણુઅણુ આ ભાવનાથી રંગાઈ જાય છે. કરુણા અને દયાનાં આ સુંદર કંપનોથી તેઓ પોતાની બધી અશુભ ભાવનાઓ, અને કર્મોનો નાશ કરે છે. ધીરે ધીરે તેમની ચેતના બધા જીવોને મદદ કરવાની અને સુખી જોવાની ભાવનાથી સમૃદ્ધ બની જાય છે. આવા આત્માઓને પછી ભારે ચીકણાં કર્મોનો બંધ થઈ શકતો નથી. તેમનાં શુભ કંપનો-કર્મોથી તેઓ નીરોગી-સમૃદ્ધ-શક્તિશાળી માબાપને ત્યાં જન્મ લે છે. ગર્ભ ધારણ કરનાર માતા પણ અત્યંત પ્રભાવશાળી હોય છે. બાળકનો દરેક કોષાણુ એટલો બધો લોહચુંબકીય અને શક્તિશાળી હોય છે કે તેમના માત્ર સંપર્કમાં આવનાર વ્યક્તિનો ભાવોલ્લાસથી ઉદ્ધાર થાય છે. આ ભવમાં આ બાળકનો અવાજ મધુર હોય છે, ભાષાપ્રભુત્વ હોય છે, વ્યક્તિત્વ પ્રભાવશાળી હોય છે, જેથી તેમનું સ્વપ્ન બધા જીવોને દુઃખમાંથી બચાવી પ્રકાશ તરફ લાવવાનું સહજ-સરળ રીતે સિદ્ધ થાય છે. માનવજાત માટે આ દુનિયામાં કશું અશક્ય નથી. આ વિજ્ઞાનયુગમાં નવી નવી શોધો કરનાર માનવી ચંદ્ર ઉપર પગ પણ મૂકી શકે છે. જે ચમત્કારી શોધો થઈ છે, તે બધું માનવચેતના અને તેની શક્તિને આભારી છે. જે કોઈ આધ્યાત્મિક પ્રગતિ અનુભવાય છે તે આપણી વિકાસની ઇચ્છા અને બીજાને મદદ કરવાની ભાવનાનું પરિણામ છે. પણ કેટલીક વાર જુની ટેવો પાંગરે છે અને ધ્યાનમાં વિઘ્ન નાંખી તેનાં શુભ કંપનો હરી લે છે. ધ્યાનમાં જન્મેલ નૂતન સુખ-શાંતિ, ઉત્સાહ, જાગૃતિ વગેરે ગુણો પાછા દબાઈ જાય છે. તેથી સૌથી વધુ જરૂર છે પોતાનામાં અખૂટ શ્રદ્ધા અને સમજ. તમારી જાતને સતત કહો કે : “બીજા કોઈ તે કાર્ય કરી શકે તો હું શા માટે નહિ !'' શાંતિથી સામાયિકમાં વિચારો કે જે “હું’” પેલા અજ્ઞાત વ્યક્તિત્વમાં હતો તે જ “હું” હવે જ્ઞાનથી-પુરુષાર્થથી વિચારી શકું એવી કક્ષામાં આવ્યો છું. ‘‘હું આ ન કરી શકું” એ બહારના અને સમાજના પ્રભાવે પૂર્વગ્રહપીડિત એ નબળો નકારાત્મક વિચાર છે. આ અંતરાય તોડવા પ્રવાહની સામે તરો અને કહો કે, “હું કરી શકીશ. હું આ શુભ કાર્ય કરવા અને પૂર્વેનાં અશુભ કંપનોનો નાશ ક૨વા સમર્થ છું.'' પોતાનો માત્ર વિચાર કરવાની પ્રવૃત્તિઓના પૃથક્કરણથી અને નકારાત્મક ટેવોના વિશ્લેષણથી અશુભ તત્ત્વોનો નાશ સરળ બને છે. Jain Education International ૨૭૮ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy