SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ રહેવાનો છે. આ તત્ત્વની સમજણ થયા બાદ જ ઉન્નતિની પ્રક્રિયા શરૂ થાય. ડાર્વિનનો સિદ્ધાંત માત્ર ભૌતિક કક્ષાએ હતી. આપણો સિદ્ધાંત આધ્યાત્મિક કક્ષાએ રચાયેલ છે. માનવભવ પ્રાપ્ત થયા પહેલાં વ્યક્તિગત આત્મા એકથી બીજી કક્ષા પર પ્રગતિ કરી વધુ ને વધુ ઇન્દ્રિયો પ્રાપ્ત કરતો જાય છે. પૃથ્વી, પાણી, વાયુ, વનસ્પતિ અને અગ્નિના જીવો પાસે માત્ર સ્પર્શની જ ઇન્દ્રિય હોય છે. જીવ જેમ પ્રગતિ કરતો જાય તેમ સ્પર્શ ઉપરાંત સ્વાદ ઉમેરાતાં, તે બે ઇન્દ્રિય જીવ બને છે, પછી ગંધની ઇન્દ્રિય ઉમેરાતાં તે ત્રણ ઇન્દ્રિયોવાળો બને છે, દૃષ્ટિ મળતાં ચાર ઇન્દ્રિયવાળો અને છેલ્લે શ્રવણની ઇન્દ્રિય ઉમેરાતાં તે પંચેન્દ્રિય જીવ બને છે. પછી તે આદિવાસી બુદ્ધિશાળી અને જાગ્રત માનવ બની આત્માનો વિકાસ ઉત્તરોત્તર વિકાસ સાધે છે. આપણે “હું છું”થી શરૂઆત કરી, “હું કોણ છું ?” પૂછીએ છીએ. ઉત્ક્રાન્તિમાં માનવનું આ પહેલું પગથિયું છે. આ વિવેક પશુ અને માનવ વચ્ચેનો ફરક સમજાવે છે. આપણે માનવભવમાં શા માટે આવ્યા છીએ ? શું આપણે માત્ર આહાર, ભય, નિદ્રા, મૈથુન અને પરિગ્રહ, ક્રોધ, માન, માયા અને લોભ, લોક અને ઓઘસંજ્ઞાની ગુલામી કરવા “આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા ?” સમજી વિષયભોગના જંતુ બનવા આવ્યા છીએ ? માનવજીવન દુર્લભ છે. તેની એક એક ક્ષણ અમૂલ્ય છે. તેને આવી રીતે વેડફી નાંખવાની ! આ ક્ષણોનો વધુમાં વધુ સદુપયોગ ઉપયોગ અને જાગૃતિમાં કરવાનો છે. તેથી જ “હું કોણ છું ?” તે ઘણો શક્તિશાળી અને પ્રગતિશીલ પ્રશ્ન છે. તેના જવાબની શોધથી માણસની વિચારવાની શક્તિ રૂ૫ છઠ્ઠી ઇન્દ્રિય પ્રગટ થાય છે. આ પ્રશ્ન પર સતત વિચાર કરવાથી ક્ષયોપશમ થતાં બોમ્બના ધડાકાની માફક આવરણો બળી જાય છે. જીવન અર્થપૂર્ણ બનાવી આગળ ને આગળ પ્રગતિ કરાવે છે. આ સાધનામાં તમારી પ્રગતિ કદાચ બાહ્ય દૃષ્ટિથી ન દેખાય, પણ તમે તમારા આંતરમનમાં ઊંડે ને ઊંડે ખોદી ઊંડા સંસ્કાર પાડી અશુભ આંદોલનોને દૂર કરી શુભ આંદોલનથી તેને સમૃદ્ધ બનાવો છો, આપણે એ જોયું કે ચેતના ભૌતિક પદાર્થમાંથી પ્રગટ થતી નથી, પણ ચેતનાથી પદાર્થો કાર્યશીલ બની શકે છે. જેમ દૂધ પાણીને દૂધનો રંગ આપી બન્ને એકરસ બને છે, તેમ જીવ અને પદાર્થ એવા એક બની જાય છે કે બન્નેને અલગ ઓળખવા પણ મુશ્કેલ બની જાય છે. જડ-ચેતનનું ભેદજ્ઞાન * ૨૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy