SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ આ તત્ત્વજ્ઞાન મુજબ અનાદિકાળથી આત્મા અને પદાર્થ એકબીજા સાથે મળી રહેલા છે. માનવથી નીચી જાતના જીવોમાં જેમ માટી વનસ્પતિને દબાવી દે છે તેમ પદાર્થ પ્રધાન બની તેના આત્માને ભારે અને મલિન બનાવે છે. માનવ માટે જીવ અને પદાર્થ એકબીજા સાથે ભાગીદારીમાં જીવે છે. આધ્યાત્મિક વિકાસ માટેની માનવની મૌલિક શક્તિની જેમ જેમ વધુ જાણ થાય છે તેમ તેમ આત્મા પદાર્થનો માલિક થતો જાય છે, અને તેનો આત્મશુદ્ધિના સાધન તરીકે સદુપયોગ કરતો જાય છે. જ્યારે આત્મશુદ્ધિ વધી જાય છે, ત્યારે તે શરીરનો ધર્મસાધન તરીકે ઉપયોગ કરી ચેતનાને પૂર્ણ બનાવે છે. હવે વિશ્વ સાથે આપણા આંતરસંબંધની દૃષ્ટિએ આત્મા અને પદાર્થ વચ્ચેના શક્તિશાળી સંબંધને તપાસીએ. નાનામાં નાનાથી મોટામાં મોટા બાહ્ય રૂપ-આકારમાં એક ક્ષણ યા એક દિવસ જેટલો અલ્પ સમય પસાર કરવામાં પણ આપણને વિશ્વની મદદની જરૂર પડે છે. આખું વિશ્વ આપણને જે કાંઈ મળે તેનું રૂપાંતર અને ઊર્ધીકરણ કરવાની જીવનમાં શક્તિ છે. હવા શ્વાસ બને છે. ખોરાકમાંથી લોહી અને બીજા કોશાણુ બને છે, જેનાથી આપણે જીવી શકીએ છીએ. એક કોશાણુમાંથી વિશ્વ સાથેનો આપણો સંબંધ શરૂ થયો. આપણે જ્યારે એ સમજીએ કે વિશ્વની સહાય વિના આપણી ઉન્નતિ થઈ ન હોત, યા એક પણ દિવસ જીવી ન શકત, ત્યારે આપણામાંથી કશું નીકળી જાય છે, ઓગળી જાય છે, તે બાદ વિશ્વ સાથેના આપણા સંબંધો સરળ અને સ્વાભાવિક બની જાય છે. પછી આપણે કોઈ પણ કાર્ય પ્રશંસા યા આભાર યા બીજું કોઈ વળતર મેળવવા નથી કરતા, કોઈની પર ઉપકાર કરવાની બુદ્ધિ રાખતા નથી, પણ કર્તવ્યરૂપે તે કરીએ છીએ. પછી આપણે દરેકને બીજા પાસેથી મદદ ટેકો અને સંપ્રેરણા મેળવતો જોઈએ છીએ, જેથી આપણે વિશ્વ સાથે પરસ્પર સહકારથી વર્તીએ છીએ. પૂ. ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં લખ્યું છે, “પરસ્પરોપગ્રહો જીવાનામ્ જીવો પરસ્પર ઉપકારક બની એકબીજાના વિકાસમાં સહાયક બને છે. આ પ્રાચીન સૂક્તિ બહુ જ સુંદર રીતે વિશ્વમાં આપણું સ્થાન ક્યાં છે, અને બીજા જીવો સાથે આપણો કેવો સંબંધ છે તે સમજાવે છે. આપણા ભૌતિક તેમજ આધ્યાત્મિક જીવન અને વિકાસમાં કેટલા બધા જીવોનો ફાળો છે, તેનું આપણને જ્ઞાન કરાવે છે. તે સમજાવે છે કે જ્યાં આપો ત્યાં આવે જ છે. તેથી જ દાનને સર્વશ્રેષ્ઠ બચત કહી છે. આ બંને ભેગાં થાય ત્યારે જ વિકાસ થાય છે. Jain Education International ૨૭૨ : માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy