SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ તો તમે ઋતુ મુજબ જીવતા નથી. તમને લાગે છે તમારું મન પુરાણીબિનજરૂ૨ી અહિતકા૨ક યાદના જંગલમાં જ રહેવા માંગે છે તો તમારી જાતને કહી અનુભવ કરો કે, “હું જીવનચક્રની બહાર જાઉં છું, કારણ કે હું વીતી ગયેલા ભૂતકાળના નિરર્થક બિનઉપયોગી પદાર્થો-વિચારોને વળગી રહ્યો છું, ભૂતકાળે મને જે ફળ આપવાનું હતું તે આપી દીધું છે, હવે તેને શા માટે ચીટકી રહેવું ?' આ સ્વનિરીક્ષણથી તમે તમારી સાથે ઐક્યમાં જોડાવ છો, તમારે દૃઢ નિશ્ચય કરવાનો છે કે, “મારે આગળ જવું છે.' ભૂતકાળની ગાંઠ છોડી દો તો ઘણી સારી વસ્તુઓ તમને આવતીકાલ માટે સત્કારવા તૈયાર છે. પ્રકૃતિમાં વસંતઋતુ શિયાળામાં જ આવે છે. વૃક્ષો માટે પાનખર ઋતુમાં તમે જેને વંધ્યત્વ-નિષ્ફળતા ગણો છો તે ખરી રીતે નૂતનના જન્મ માટેનો સુવર્ણ અવસર છે. આ સમય, તમારી સમજ ઊંડી ઊતરી જાય તેની વિચારણા માટેનો છે. વસંતઋતુ-નૂતન જન્મ આવ્યા પૂર્વેનો સમય સંક્રાન્તિનો છે. કવિશ્રી રવીન્દ્રનાથ ટાગોરે એક સુંદર સાદશ્ય દૃષ્ટાંત આપ્યું છે. આપણે માતાના સ્તનને ધાવતા બાળક જેવા છીએ. જ્યારે માતા જુએ છે કે એક સ્તનમાં દૂધ ખલાસ થઈ ગયું છે, ત્યારે તે બાળકને તે સ્તનથી વિખૂટું પાડી બીજા સ્તન ૫૨ લઈ જાય છે. એક સ્તનના વિયોગની ક્ષણમાં બાળક રડતું હોય છે, પણ આ ફેરફારથી માતાના બીજા સ્તનમાંથી તાજું અને વધુ પ્રમાણમાં દૂધ મળવાનું છે તેનું એને જ્ઞાન નથી. ત્યાં સુધી જ તે રડે છે. આ રીતે તમે સમજી શકશો કે પુરાણી, બિનજરૂરી, અહિતકારક વિચારની ટેવો તમને કેવા દુ:ખી બનાવે છે ! વર્તમાન ક્ષણને તમે ભૂતકાળ સાથે સરખાવો છો ! તો પછી જીવનની તાજગીનો આનંદ નહિ મળે. આ રીતે ભૂતકાળને જડ રીતે વળગી રહેવાથી વર્તમાન ક્ષણનો આનંદ લૂંટી શકાતો નથી. અને તમારા સંપર્કમાં આવતા અન્ય લોકો પણ તમારાથી એટલા માટે કંટાળે છે. કે તમે હંમેશાં જીર્ણ થઈ ગયેલ, બિનઉપયોગી ભૂતકાળને સંભારી રોદણાં રડો છો. પછી તમને બીજા કોઈ તમારા જેવો જ મળે તો તમે બંને એકબીજાને ખેંચતાણ કરી નીચાં પાડો છો. પરિવર્તન અને કંપનોનું તત્ત્વજ્ઞાન તમારી જીવનપદ્ધતિ બદલી નાંખે છે. તમારી ચેતનાની કક્ષાના અંતે સમાનકક્ષાની ચેતનાવાળાને આકર્ષે છે. તેથી તમારી ચેતનાનું ઊર્ધ્વકરણ થાય છે. માત્ર બોલવાથી નૂતન જીવન પ્રગટી ન શકે. તે આવી શકે માત્ર નૂતન વિચારણા નૂતન કંપનોમાંથી. નવાં કંપનો પ્રગટાવવા જૂનાં કંપનોને કાઢી Jain Education International ૨૬૬ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy