SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ખરવાની ક્રિયા થવા દો. દરેક ક્ષણે તમે વિચારોને સૂકાં પાંદડાંની માફક ખેરવી નાંખો અને યોગ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સાપેક્ષ નૂતન વિચારસરણી અને ભાવોને જીવનમાં પ્રવેશ માટે દ્વાર ખુલ્લાં મૂકો, તો જ તમે વિસ્તાર અને વિકાસ કરી શકશો, વિશ્વ સાથેના સંબંધો સતત રચનાત્મક, ગ્રહણશીલ અને સંભાવનાશીલ રાખી શકશો. પૂર્વની સંસ્કૃતિના ઉપદેશમાં મુખ્ય સિદ્ધાન્ત છે નિરાસક્તિ – અનાસક્તિ. આ કયું તત્ત્વજ્ઞાન છે. ઋતુની સાથે સંવાદીપણે જીવવાની કલા છે. તેનો સાદ એ છે કે આ ક્ષેત્રો જે સંગત છે – જરૂરી છે તે આ જ ક્ષણ માટે યોગ્ય છે, પણ બીજી પળે તે સંગત ન પણ હોય. આમ છતાં બદલાયેલા સંજોગોમાં પણ તમે જૂના વિચારો – રૂઢિઓને અહિતકારી હોય તોય વળગી રહો તે છે આસક્તિ. જ્યારે તમે વસ્તને વળગી પડો છો. ત્યારે તે વસ્તુ તે ક્ષણે સંગત છે કે નહિ તે તમે જાણતા નથી. આ આસક્તિ બે વસ્તુમાં પરિણમે છે. (૧) તેને વળગી રહેવામાં તણાવ થાય અને (૨) છોડી દેવામાં શોક થાય છે. તે જાય તો જવા દો. ઋતુ પરિવર્તન સાથે અનુકૂળ થઈ જાવ. અનાસક્ત માનપૂર્વક ત્યાગ કરે છે. પાનખર&તમાં પાંદડાં ખરે ત્યારે તે જાણે નાચતાં હોય તેમ લાગે છે તેમ તમે પણ, જાય છે તેનો આનંદથી ત્યાગ કરો. આ જ સાચી અનાસક્તિ છે. પ્રાપ્તિમાં જેમ આનંદ છે તેમ તેના ત્યાગમાં પણ આનંદ હોવો જોઈએ. આમ છતાં જો આપશો નહિ તો મળશે પણ નહિ. આ એક સંગીન ગણિત છે. જ્યારે તમે સંતુલન સાથે, આનંદપૂર્વક આપો, ત્યાગ કરો ત્યારે તમારી દૃષ્ટિને આંસુ અવરોધી શકતાં નથી – પીડા અને ખેદ પીડી શકતાં નથી. કોઈ માણસ આપણને છોડીને બહાર જતો હોય ત્યારે આપણે તેને વિદાય આપીએ છીએ, શુભાશિષ આપીએ છીએ, તેમ વસ્તુ જાય ત્યારે આનંદથી વિદાય આપો. વળગી રહેવું અહિતકારક છે. તેનાથી જનાર વ્યક્તિ અને તમારી શાંતિ એમ બંને તમે ખુઓ છો અને તેના બદલામાં તમને ખંડનાત્મક-અહિતકર સ્પંદનો સિવાય બીજું કશું જ મળતું નથી. તમારા સ્વને મેળવવા જીવનના એવા તત્ત્વજ્ઞાનનું ચિંતન કરો જેથી મનની જૂની અહિતકર ટેવો બદલી શકાય. તમારી જાતને કહો, “વૃક્ષો જો પાંદડાં ખરવા દે છે તો શા માટે હું તેમ ન કરું !” દરેક વિચારને જુઓ. અને જાતને પૂછો, “આ વિચાર ભૂતકાળની છે ? આજે તેની ઉપયોગિતા છે ?” તેની ઉપયોગિતા વર્તમાનમાં ન હોય અને છતાં તમે તેને વળગી રહો જડ-ચેતનનું ભેદજ્ઞાન : ૨પ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy