SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ મૂકો. કચરો ફેંકી દો. તમારી જાતને કહો, “મારે હવે બિનઉપયોગી, પુરાણા વિચારો, વિધ્વંસક યાદદાસ્ત યા બંધનકારક વિચારો નથી જોઈતા.'' મનને ખાલી કરવાથી તે હલકું બને છે. પણ આ પુરાણા વિચારો માયાવી છે. જતાં પહેલાં તે તમને છેતરવા પ્રયત્ન કરે છે. તમે જો કાળજી ન રાખો તો તે તમારી ચેતના પર નવા કારી ઘા કરશે. ખજાનાની ઓળખ ન હોય તો તેની ઇચ્છા પણ નહિ થાય. તેની પ્રાપ્તિ માટે પુરુષાર્થ નહિ થાય. શરૂઆતને જ તમે અંત માનો તો પ્રગતિ ક્યાંથી થાય ? આ માટે તમારામાં તમને અડગ શ્રદ્ધા હોવી જોઈએ. આજ સુધી તમે તમારી જાત સિવાય બીજા બધા દેવદેવીઓમાં-મૂર્તિઓમાં વિશ્વાસ રાખ્યો છે, પણ હવે તમને સમજાય છે તમારા હાથમાં એક અમૂલ્ય રત્ન છે. હવે જરૂ૨ છે ફક્ત તેના પરનો મેલ કાઢવાની અને અસલ ચળકાટ પ્રગટ કરવાની. આ નહિ કરો તો તે ઘણા મેલથી આવરાયેલ ખરબચડો પથ્થર બની જશે. માટે હે માનવ, તારી જાતને શોધ. તમારી જાતને કહો, “અત્યારે હું ખરબચડો હીરો છું, પણ મને ખાતરી છે કે મારી અંદર ઝળહળતો પ્રકાશ છે, સુષુપ્ત શક્તિ છે. તેનો સ્પર્શ કરી મારા અસલ તેજને મારે પ્રગટ કરવાનું છે.” આવો વિશ્વાસ પ્રગટે પછી પ્રગતિ શરૂ થાય છે. “ઉપનિષદ” “ઉપ’ એટલે નજીક અને “નિષદ” એટલે બેસવું. તમારા જ આત્માની પાસે બેસવું. બીજા કોઈની પાસે બેસવાનું નથી. બીજાની પાસે બેસવું હોય તો તેવાની પાસે બેસો કે જે તમારો મેલ દૂર કરી પાલિશ કરી તમારું અસલી હીર-તેજ પ્રગટાવે. ગુરુનાં કપડાં પહેરે તેટલા માત્રથી ગુરુ થવાતું નથી. જે અજ્ઞાન દૂર કરે તે ગુરુ એક વખત તમારો આત્મા પરથી કચરો કાઢી નાંખો. એટલે તમે તમારા પોતાના ગુરુ બની જવાના. એક રાજાને શિકારનો બહુ શોખ હતો. એક વખત તે પોતાના મહેલના ઝરૂખામાં સંધ્યાકાળે ઊભો હતો. વર્ષાઋતુ હોવાના કારણે સપ્તરંગી સુંદર મેઘધનુષ્ય રચાયેલું હતું. પ્રકૃતિના આ સૌન્દર્યથી તેને ખૂબ આનંદ થયો. આ ક્ષણિક સુખને મેધધનુષના રંગોની ઉપમા આપવામાં આવે છે. મેઘધનુષના રંગો વિખરાઈ ગયા. સર્વત્ર અંધકાર વ્યાપી ગયો. ‘તેજીને ટકોરો ઘણો છે. પ્રજ્ઞાવાન પુરુષોને અલ્પ નિમિત્ત પણ બોધ આપી જાય છે. આવા અપ્રતિમ સૌન્દર્યનો વિલય અને અંધકારનું અવતરવું આ નિમિત્તથી રાજાએ વિચાર્યું, “મારું જીવન પણ શું આવું નથી ? હું ક્ષણિક સુખમાં આનંદ પામતો હતો, પણ તે સંધ્યાના રંગ-મેધધનુષ્ય જેવું નથી ? પળે પળે મારું મરણ થઈ Jain Education International જડ-ચેતનનું ભેદજ્ઞાન * ૨૬૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy