SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. પણ ચેતન પાસે દિશા છે. ચેતનાશક્તિ દીપકની જ્યોતિની જેમ ઊર્ધ્વગામી છે. તે પોતાના શિખર પર ન પહોંચે ત્યાં સુધી ઊંચે ચઢવાની કોશિશ કરે છે. જ્યારે ચેતના ગતિ કરે છે ત્યારે તે પોતાના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન, પ્રેમાળ શાંત સ્વભાવ વગેરે ગુણો પ્રગટ કરવાની દિશા પકડે છે. ઉપર જવાની પ્રક્રિયા સૌથી ઊંચું શિખર પૂર્ણતા-કેવળજ્ઞાન-કેવળદર્શન-કેવળચારિત્ર સિદ્ધશિલા ઉપર પહોંચ્યા પછી જ અટકે છે. જીવની વિશ્વ પ્રત્યેની પોતાની કર્મના લેણદેણની જવાબદારીઓ પૂરી કરવી જોઈએ, અને હૃદયની બધી કર્કશ ધારને મૃદુ બનાવવી જોઈએ. આ પ્રાચીન તત્ત્વજ્ઞાન મુજબ આકાશતત્ત્વ તે છે જે બધી વસ્તુઓને રહેવાનો, તેમની પ્રકૃતિ મુજબ ગતિ અને વિકાસ કરવાનો અવકાશ આપે છે. આકાશનો અર્થ બાહ્ય તેમજ આંતરિક અવકાશ – આંતરિક જીવનથી વાકેફ થવાય છે. તમારા શ્વાસનો સ્પર્શ કરો એટલે આકાશનો સ્પર્શ થાય. મૈત્રી વૃદ્ધિ, પામતાં વિશાળ આકાશમાંથી આવતી શાંતિનો તમે અંદરથી અનુભવ કરી શકો છો. આ લાગણીથી તમારું આખું શરીર ભરાઈ જાય છે. તેથી સ્વાભાવિક રીતે તમે શરીરની મર્યાદાઓને વટાવી જઈ શકો છો. અને તમારી આજુબાજુ વિસ્તાર પામતા આકાશનું સર્જન કરી શકો છો. આત્મપ્રગતિનું અહિત કરનાર દીવાલો, અંતરાયો, બાહ્ય રૂપોની આસક્તિ તમે તોડી નાંખી તમારી જાતને જીવન સાથે ભળી જતી જોઈ શકો છો. તમે તમારી જાત અને બધા સિદ્ધ જીવો સાથે જીવંત સંબંધ અનુભવી શકો છો. જાગૃતિમાં કોલાહલ અદશ્ય થાય છે. સંઘર્ષ કરવા જેવું કોઈ નિમિત્ત નથી. વિરોધાભાસી દૃષ્ટિબિંદુઓ વચ્ચે કોઈ યુદ્ધ થતું નથી. તમે અનંત આકાશમાં ભળી જાવ છો. જીવો સાથે મૈત્રીનો અનુભવ એ આ તત્ત્વજ્ઞાન શીખવાડે છે. પછી તમારું વ્યક્તિત્વ તમને અવિભાજ્ય અને અવિનાશી લાગે છે. તમારું આકાશ વિશ્વવ્યાપી બને છે. જ્યારે તમે આ અનુભવાતીત કક્ષાએ પહોંચો છો, ત્યારે તમે કાળને માપી શકતા નથી. જોઈ શકતા નથી, અને શરીરની મર્યાદાઓ ચાલી જાય છે. કાળ અને શરીરનું તંત્ર અને સત્તા તમને ગુલામીમાં રાખી શકતાં નથી. જેમ સૂર્યને માટે “અંધકાર” જેવું કોઈ બંધનકારક તત્ત્વ નથી, તેમ તમે જ્યારે તમારા સ્વભાવમાં હો ત્યારે કોઈ બંધન હોઈ શકતું નથી. તમારા અમર તત્ત્વનો તમને અનુભવ થતો હોય છે. ભૌતિક હયાતીની કક્ષાએ જ કાળની હયાતી પરિણામરૂપે દેખાય છે. કાળ એ તમારા નય અર્થાત્ દૃષ્ટિની અપેક્ષાએ સાપેક્ષ છે. તમને ગમતાં કાર્યોમાં જડ-ચેતનનું ભેદજ્ઞાન : ૨૪૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy