SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ કરી શકે. દા.ત. દારૂ, ગાંજો-ભાંગ, અફીણ અને બીજા માદક પદાર્થો. એક વખત આ નશો શરીરમાં પ્રવેશ્યો એટલે તુરંત જ તે શરીર અને મન પર અસર કરે છે, મગજના તંતુઓને બાળી મૂકે છે, તે પરિવર્તનમાં આત્માની મૂળ સ્થિતિ પુનઃ પ્રાપ્ત કરવી લગભગ અશક્ય બને છે. આત્માનાં સ્પંદનો કદી પણ ભૌતિક પદાર્થથી બંધાય નહિ, પ્રભાવિત થાય નહિ થા તેના નિયંત્રણમાં આવે નહિ. પણ અજ્ઞાન, લોભ, ક્રોધ વગેરે. મલિન ભૌતિક પ્રધાન ભાવોની સંગતમાં ચેતનની શક્તિ ઢંકાઈ જાય છે – આવરાઈ જાય છે. આપણું ખરું કામ આ જ છે કે મનને શુદ્ધ કરવું. માનવચેતનના ઝળહળતા પ્રકાશનું પ્રતિબિંબ પાડે એવું મન તૈયાર કરવું. આત્મા શરીરમાં હોય ત્યાં સુધી તેણે આ જ કાર્ય કરવાનું છે. સમ્યક જ્ઞાનના અજવાળામાં, ધ્યાનના સતત અભ્યાસથી આત્માનાં આવરણો હટી જાય છે. આત્મા મનની ખંડનાત્મક દશાને ઉત્પન્ન કરતાં મલિન સ્પંદનોનો નાશ કરી શકે છે. ખંડનાત્મકતાને બદલે સર્જનાત્મકતા આવે છે અને અંતે ચેતનનાં અભૌતિક અને અમાપ્ય સ્પંદનો તેમની ભૌતિક શક્તિથી બહાર ફેલાઈ સમગ્ર વિશ્વના જીવોને આવરી લે છે. એક વખત આત્માના તરંગો આટલી ઊંચી કક્ષાએ શુદ્ધ થાય, પછી તે શુદ્ધ શક્તિનાં પ્રકાશવંત કિરણો બની જાય છે. મન તો માત્ર આ મહાન શક્તિનું એક અલ્પાંશ છે. જેમ સૂર્ય પોતાનાં કિરણો પ્રસારી દુનિયાને ગરમી આપે છે, પુષ્ટ કરે છે, તેમ શુદ્ધ આત્મા પોતાના સમસ્ત કેન્દ્રમાંથી વિશ્વપ્રેમનાં કિરણ પ્રસારી જીવનને શાંતિ અને સુખથી પુષ્ટ કરે છે. - દૃશ્ય પદાર્થ ઉપરાંત જડ શક્તિનાં બીજાં ચાર અદશ્ય તત્ત્વો છે. તે બધાં અમૂર્ત તત્ત્વો કહેવાય છે અને તે છે ગતિ, સ્થિતિ, અવકાશ તથા કાળ. આત્મા અને પદાર્થ બંને આ દુનિયામાં આ ચારના સંબંધમાં રહી કામ કરે છે. ગતિ અને સ્થિતિ એકાન્તર પ્રક્રિયાને જન્મ આપે છે જે આ ભૌતિક દુનિયામાં સંતુલન જાળવે છે. માત્ર ગતિ હોય તો આકર્ષણ ન હોય, અને માત્ર સ્થિતિથી કોઈ હલનચલન ન હોય. આ બંને સિદ્ધાંતો આત્મા અને પદાર્થ બંનેની ગતિ અને સ્થિરતા માટે પરસ્પર સહકારી કારણો છે. ગતિ અને સ્થિતિ વચ્ચે જે અણુઓનું સતત સર્જન થાય છે તે આ પ્રક્રિયાનું પરિણામ છે. આ બંને એકબીજા સાથે અથડાય છે અને ચીનના ઘંટની જેમ આઘાત-પ્રત્યાઘાતના આઘોષ ઉત્પન્ન કરે છે. અનંતકાળ સુધી એકબીજાથી છૂટા પડવું, ભેગા થવું એવા અણુપરમાણુના સ્વભાવમાં પ્રકૃતિનાં તત્ત્વોનું ચક્ર સતત ફર્યા કરે છે. જડ પ્રક્રિયામાં ગતિનું ધ્યેય ગળવું અને પુરાવું એ સિવાય બીજું કાંઈ ૨૪૬ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy