SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ચેતન અને જડ શક્તિનું વર્ણન અનેક પ્રકારે થઈ શકે છે. ચેતનનો સહજ ગુણ છે ચેતનાત્મક જાગૃતિ. ચેતના ભલે બાહ્ય દૃષ્ટિએ દશ્ય ન હોય, પણ ચેતના જ્યાં હોય છે ત્યાં દરેક જીવવાળા પદાર્થમાં વિકાસ હોય છે. એક નાનો વનસ્પતિનો છોડ પણ શ્વાસોચ્છવાસની ક્રિયા કરે છે. વિકાસ પામે છે અને સડે પણ છે. આ બધી ક્રિયાઓનું મૂળ કારણ જીવ છે. વનસ્પતિના છોડને પાણી પાવામાં ન આવે તો તે કરમાઈ જાય છે. કરુણાથી કરી તમે પાણી પાવ તો તે પાછો ખીલી ઊઠે છે. માતૃવૃક્ષને વળગી રહેલ એક નવા અંકુરને જુઓ. તે જેમ જેમ વિકસે તેમ તેમ તેના કદ, પ્રકૃતિ અને રંગ બદલાયા કરે છે. કોઈક વખત તેની શરૂઆત ગુલાબી નસોથી થાય છે જે પરિપક્વ થતાં લીલો રંગ ધારણ કરી તાજી સુગંધ આપે છે. વૃક્ષની સાથે સંલગ્ન હોય ત્યાં સુધી તે ખીલેલું અને જીવંત રહે છે, પણ એક વખત તે વૃક્ષથી છૂટું પડી જાય એટલે તે કરમાઈ જાય છે. તે જીવ વગરનું નિર્જીવ થઈ જાય છે. તેનો જીવ ચાલ્યો ગયો હોય છે અને બાહ્ય જડ કલેવર માત્ર રહી જાય છે. વનસ્પતિમાં યા પશુમાં ચેતનતત્ત્વ મનુષ્ય જેટલું વિકાસ પામ્યું ન હોય, ખૂબ અલ્પ હોય છતાં તે જીવતત્ત્વ તો છે જ. આ લોકોમાં જીવન હોત તો તેઓ હલનચલન થા વિકાસ ન કરી શકત. જીવનચક્રની પ્રક્રિયા બધામાં એકસરખી છે. શરીરમાંથી આ ચેતનતત્ત્વ જ્યારે વિદાય લે છે, ત્યારે શરીર એક ખાલી ખોખું, જડ પદાર્થ બની જાય છે. ચેતનાશક્તિ જે આત્માના નામે જાણીતી છે તેની મુખ્ય કક્ષા છે ચેતના. જ્યાં ચેતના નથી ત્યાં ત્યાં જડ પદાર્થ, પુદ્ગલ રહે છે, જેનો સ્વભાવ પુરાવું અને ખાલી થવું એમ છે. દા.ત. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ વગેરેનાં બાહ્ય રૂપો રાળ જેવાં છે. જડ પદાર્થોમાં ચેતના નથી. પણ તેઓ પાસે રંગ, રૂપ, સુગંધ અને સ્પર્શ જેવા ગુણો છે. જડનાં સ્પંદનોનો અનુભવ કરી શકાય છે. ભૌતિક વિશ્વના ગણિતને તેઓ આધીન છે. કર્કશથી મૃદુ તેમની શ્રેણી છે. કર્કશ પદાર્થ દેખાય છે, અનુભવી શકાય છે, પણ સૂક્ષ્મ પદાર્થ દેખાતો નથી, અનુભવી શકાય છે. દા.ત. લાખો અણુઓ અને પરમાણુઓ હવામાં અદૃશ્ય રીતે ઘૂમે છે. આમાંના કેટલાક અમીબા (amoeba), બેક્ટરિયા, અને વાઈરસમાં ખરેખર ચેતના હોય છે. જ્યારે બીજા સૂકા અણુ-પરમાણુ નિર્જીવ હોય છે. કેટલીક વખત જડ પદાર્થોમાં પણ એટલી બધી શક્તિ હોય છે કે તેઓ મનુષ્યના માનસિક સ્તરને ઢાંકી શકે, બદલી શકે અને બીજી રીતે પ્રભાવિત જડ-ચેતનનું ભેદજ્ઞાન + ૨૪પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy