SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ લે છે કે “મને કોઈ ઉચ્ચ તત્ત્વની ઝાંખી થઈ છે" પણ વાસ્તવિક રીતે આંતરદર્શનને બદલે તે નવા નવા કોયડા ઊભા કરે છે. પોતાની સાથે સંમત ન થાય તેવાઓને ‘નાસ્તિક' ‘કાફર' વગેરે ઉપનામો આપે છે. મન હંમેશાં બાહ્ય-રૂપ આકારોને વળગે છે, અને એથી પર હોય તેને દુશ્મન ગણે છે. આ રીતે ધર્મઝનૂની લોકો જેઓ પ્રેમ અને સુસંવાદિતાના ચાહક હોવાનો દાવો કરે છે, તેઓ જ ધિક્કાર અને ઘર્ષણ ફેલાવે છે. ઇતિહાસમાં જોતાં સૌથી વધુ યુદ્ધો ધર્મના નામે થયાં છે. રૂપની દુનિયામાં સંઘર્ષ હોવાનો જ. ત્યાં બે મત વચ્ચે ટકરાવ થવાનો જ. મનનો અનુભવ પણ પુદ્ગલનું જ સર્જન છે. તેને ભલે આધ્યાત્મિક અનુભવનો ચહેરો પહેરાવો, તે ભલે સૂક્ષ્મ દેખાતું હોય તેમ છતાં પણ તે ભૌતિક પદાર્થનું બીજું સ્વરૂપ છે. જ્યારે મન શબ્દો, તર્ક, શાસ્ત્ર, દલીલો, બાહ્ય રૂપ-આકારને તમે તમારી જિંદગી પર શાસન ક૨વા દો છો, ત્યારે ચિત્તાતીત પદાર્થોનું સૌન્દર્ય અને ભવ્યતા જોવા તમે મુક્ત હોતા નથી. તેથી જેઓ મનથી પર થવા ઇચ્છે છે તેઓ બાહ્ય ચર્ચાઓમાં પડવા કરતાં અંતર્મુખ બને છે તે અંતર્મુખતા નહિ પણ આત્મનિરીક્ષણ છે, જેનાથી આત્મશુદ્ધિ થાય છે. ― આ આત્મવિશ્લેષણથી તમે તમારા વિચારો, સંબંધો, ઇચ્છાઓ, આસક્તિઓ, લાગણીઓ અને કલ્પનાઓ તટસ્થતાપૂર્વક તપાસી શકો છો. તે હિતકારી છે કે અહિતકારી તેનો નિર્ણય લઈ હિતકારીનો આવકા૨માં અને અહિતકારીનો ત્યાગ કરવાનો પુરુષાર્થ ખેડી વિજયી બની સાચા સુખી બની શકો છો. આ નિરીક્ષણમાં કશુંક ચમત્કારિક બને છે. જાગૃતિનો પ્રકાશ વધે છે અને જૂનાં અશુભ તત્ત્વો દૂર થાય છે. નવાં આવતાં નથી. ક્રોધનો તણખો, ઈર્ષ્યાની ચિનગારી, લોભનું ભારેપણું, ઘમંડનો ઉછાળો, માયા, છેતરપિંડીનું મોજું, વગેરે. કોઈપણ ખંડનાત્મક અશુભ તત્ત્વ પ્રવેશ કરે કે તુરત જ જ્ઞાનનો પ્રકાશ ઝળહળી ઊઠે છે. અને તમે પાછળનું નિરીક્ષણ કરી અંધકાર દૂર ન થાય ત્યાં સુધી થોભી જવારૂપ પ્રતિક્રમણ કરી, કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત્ત કરી શકો છો. તેનાથી લાગેલ મલિનતાને દૂર કરી શકો છો. આ રીતે જાગૃતિ અને સ્વનિરીક્ષણની સતત પ્રક્રિયાથી એક નૂતન જાગૃતિનું પ્રભાત ઉદિત થાય છે. હવે મન આત્મા પર કોઈ પણ પ્રકારે નિયંત્રણ કરી શકતું નથી. હવે આત્મા મન ૫૨ અધિકાર ચલાવે છે. આત્માના અનંત સહજ ગુણો પ્રગટવા લાગે છે. Jain Education International ૨૪૪ : માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy