SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ એ માટે જ જીવન સમાપ્ત કર્યું. એના ઉપાસકો, તમે, હિંસા કરીને એના આત્માની વિરુદ્ધ જઈ રહ્યા છો, એના આત્માને શાંતિ કેમ મળશે ? એને જે પસંદ નહોતું એ કામ કરી એના ચાહક તમે કેમ બની શકો ?' અને આ શબ્દોએ તો જાદુ કર્યો. હિંસક વાતાવરણ એકદમ શાંત બની ગયું. જે આંતરિક વૈભવથી જીવે તે એની સાથે રહેનારને પણ એના સદ્ગુણની સુવાસથી ભરી દે છે. માણસ ચાલ્યો જાય પણ એની પાછળ એ મૈત્રીની સૌરભ મૂકતો જાય છે. આ એની સમૃદ્ધિ છે. આંતરિક વૈભવ એ બહુ દિવ્ય વસ્તુ છે. એમાં વેરની સામે વેર નથી, વેરની સામે પ્રેમ છે. એ વિચારે છે જેણે ખરાબ કર્યું એનામાં અજ્ઞાન હતું એટલે દુષ્ટતા આચરી; હું સારો હોઉં તો મારે એને પ્રેમ ને મૈત્રીનો દાખલો મારા જીવનમાંથી આપવો જોઈએ. એક પ્રબુદ્ધે સરસ વાત કહી : “લોહીથી ખરડાયેલાં કપડાંને લોહીથી ધોવા પ્રયત્ન કરશો તો ઉજ્જ્વળ નહીં બને. એને તો પ્રેમનાં વારિથી ધોવાનાં છે.” દુર્ગુણોને સદ્ગુણથી સ્વચ્છ કરવાના છે. આ સગુણ પ્રત્યે મનમાં અભિરુચિ, માન અને અહોભાવ જાગવાં જોઈએ. સદ્ગુણની પૂજા સાથે સદ્ગુણમાં રહેલી શક્તિ આપણા જીવનમાં પ્રગટવી જોઈએ. સદ્ગુણની પૂજા ઘણા કરે છે. પણ આચરણમાં નથી, કારણ કે સદ્ગુણમાં શ્રદ્ધા નથી. એટલે જ માને છે, પણ એવું આચરણ નથી. જેવી રીતે મૂર્તિની આરતી ઉતારે પણ ભગવાન જેવા બનવાનો પ્રયત્ન ન કરે, એવું જ સદ્ગુણ માટે બને છે. પૂજા એટલે સદ્ગુણમાં રહેલા સામર્થ્ય માટે હૃદયમાં અભિરુચિ અને શ્રદ્ધા. શ્રદ્ધા સદ્ગુણની શક્તિમાં અને સન્માન પ્રતીકને. ખરાબમાં ખરાબ લોકો પણ એમ કહેતા હોય છે જ કે આ તો સંત છે, સદ્ગુણી છે પણ મનથી માનતા હોય છે કે સદ્ગુણી એટલે સામર્થ્ય વગરનો, એમાં શું છે ? વિચારોમાં દ્વિધા છે, માન સદ્ગુણનું અને આચરણ દુર્ગુણનું. અલબત્ત કેટલીક વાર એવું બને છે, કોઈક ક્ષણોમાં સદ્ગુણ નિર્બળ દેખાય, દુર્ગુણની સામે હારતો અને ઘવાતો પણ દેખાય પણ તમે તાત્કાલિક તરફ નહિ, જૈકાલિક તરફ જુઓ. કેટલીક વસ્તુઓ તાત્કાલિક જીતી જાય છે પણ ત્રૈકાલિક દૃષ્ટિએ એની હાર હોય છે. Temporary અને permanent વચ્ચે આ અંતર છે. Jain Education International ૧૬ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy