SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ દશ્ય (Visible) છે, બીજો અદશ્ય (Invisible) છે. કેટલીક વાર માણસ સામાન્ય લાગે, શરીર ઉપર અલંકારોમાં કંઈ જ ન હોય તેમ છતાં એના સમાગમમાં આવો, એનાં જીવનમૂલ્યોનું શ્રવણ કરો, એનાં ઊંડાણમાં અવલોકન કરો તો થાય કે જીવનનું ઝવેરાત તો અહીં જ પડ્યું છે. આ ઝવેરાત મળી જાય તો આ દુનિયા તો સુંદર બને પણ આવનારી નવી દુનિયા પણ સુંદર બની જાય. જે પોતાના જીવનને સુંદર બનાવે છે એ જતાં જતાં દુનિયાને પણ સુંદર બનાવીને જાય છે. આ સંસારને સુંદર નંદનવન બનાવવા માટે દરેક માણસે માળી બનીને પોતાના મનમાં સારા વિચારનાં બીજ વાવી મૈત્રીથી મહેકતું ઉપવન બનાવવું જોઈએ. ગઈ કાલની પેઢીના પ્રેમનો આપણે આટલો બધો લાભ ઉઠાવ્યો હોય તો આવતી કાલની પેઢી માટે આપણે કાંઈક તો કરીને જવું જોઈએ ને ? એનું નામ જ તર્પણ છે, શ્રાદ્ધ છે. પિતા પાસેથી લીધેલું છે તો દીકરો હવે નવી પેઢી માટે કાંઈ કરે એ જ ખરું શ્રાદ્ધ છે. કાગડાઓને જમાડવા, ભરેલાં પેટને વધારે ભરવાં એ કાંઈ શ્રાદ્ધ છે ? વર્તમાનના માનવીને હું ભૂતકાળ અને ભવિષ્યકાળ વચ્ચેનો એક મણકો – link કહું છું. એ પોતાના જીવન દ્વારા ભૂતકાળના વારસાને ઉજ્જવળ બનાવે છે અને આવતી કાલના માર્ગ પર પ્રકાશ પાથરે છે. ભૂતકાળ પાસેથી મેળવ્યું એ આચરી બતાવે છે અને આચરણ દ્વારા આવતી કાલની પેઢીને પ્રેરણા આપતો જાય છે. મનુષ્ય માત્ર દેહને પોષવા, ઇન્દ્રિયોને તૃપ્ત કરવા, પોતાનું ઘર ભરવા માટે નથી આવ્યો; એણે તો કાંઈ આપવાનું છે. એ ક્યારે બને ? જેનું આંતરિક જીવન વૈભવપૂર્ણ, સમૃદ્ધ હોય એ માનવ જ દુનિયાને કાંઈક આપીને જાય છે, એ જ લોકસ્મૃતિમાં ચિરંજીવ બને છે. આવાં કેટલાંય અજ્ઞાત નરનારીઓ હશે જેમનાં જીવનચરિત્ર નથી લખાયાં પણ જેમનાં આચાર, વિચાર અને ઉચ્ચારના પ્રકાશે આજે માનવજાત શાંતિથી, સુખથી જીવી રહી છે. માર્ટિન લ્યુથર કિંગનું ખૂન થયું અને લોકોની લાગણીઓ ઉશ્કેરાઈ ગઈ. તોફાને ચઢ્યા, આગના ભડકા થયા, હિંસાનું તાંડવ રચાયું. ત્યારે આંસુભીની આંખે એની પત્નીએ ટેલિવિઝન ઉપર આવીને અમેરિકનોને બે જ બોલ કહ્યાં : “માર્ટિન લ્યુથર કિંગે દુનિયાને કહ્યું હતું કે “અહિંસાથી દુનિયામાં શાંતિ આવશે અને એ અહિંસા ખાતર જોઈએ તો મારા પ્રાણ આપીશ.' પ્રાણ આપીને પણ એણે અહિંસાની શક્તિનું દર્શન કરાવ્યું, અહિંસા માટે જ એ જીવન જીવ્યો અને માનવતાનાં મૂલ્ય * ૧૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy