SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ માથું દુખતું હોય અને એનાસિનની ગોળી લઈ લો તો કદાચ એ ક્ષણ પૂરતો માથાનો દુખાવો બંધ જાય પણ એથી રોગ નથી મટતો. રોગનું મૂળ ક્યાં છે ? અતિવિચાર કર્યો તેથી કે વિચારોમાં ઘર્ષણ ઊભું થયું તેથી ? કોઈની સાથે કલહ કર્યો તેથી કે ઈર્ષ્યાને લીધે મનમાં બળતરા ઊભી થઈ તેથી ? કોઈનું શુભ જોઈને મનમાં અશુભ વિચાર જાગ્યો તેથી કે ખોરાકના નિયમોનો ભંગ કર્યો તેથી ?'' આ શોધવાને બદલે એનાસિનની ગોળીથી પતાવો તો લાંબે ગાળે ફરી ઊથલો મારશે જ. એમ દુર્ગુણમાં તાત્કાલિક સહાય આપવાની શક્તિ છે પણ ચિરકાળ નહિ. બેચાર વાર સફળતા મળી જાય પણ અંતે તો તે નિષ્ફળ જાય જ છે. દુર્ગુણો દુનિયામાં ફાવતા દેખાશે, મોટી ગાડીઓ લાવતા દેખાશે, પ્રતિષ્ઠા અને હારતોરા પણ અપાવતા દેખાશે, પણ એ તાત્કાલિક છે. લોકોને તાત્કાલિક શક્તિઓનો મોહ છે એટલે ત્રૈકાલિક શક્તિઓ સામે દૃષ્ટિ જતી નથી. જેઓ આંતરવૈભવના સ્વામી છે તેઓ તાત્કાલિક લાભ લેતા હોવા છતાં એમની અસીમ શ્રદ્ધા વૈકાલિક તરફ છે. લોકો જ્યારે હિંસક યજ્ઞ, સોમપાન અને દ્યૂતમાં ચકચૂર બન્યા હતા ત્યારે એક ધર્મગુરુએ પોતાના શિષ્યોને કહ્યું : “જુઓ, આજે ચારેબાજુ સોમપાન, હિંસા, દ્યૂત બધું વધી ગયું છે એની સામે તમારું ચારિત્રમય અને તપોમય જીવન જ કામ લાગશે. પુસ્તકો મોકલવાથી નહીં, તમારા જવાથી પ્રકાશ પથરાશે.’’ - માત્ર પુસ્તકોથી માણસ સુધરી જતો હોત તો હિન્દુસ્તાનના દરેક છાપામાં દર અઠવાડિયે એક પાનું ધર્મને માટે રાખેલું હોય છે. તો રોજ છાપાં વાંચનારા બધા જ માણસો સારા થઈ ગયા હોત ! એકલું વાચન કાંઈ કામ કરતું નથી. એ વ્યસન બની ય છે. એનામાં વાચનશક્તિ reading capacity વધી જાય પણ પાચનશક્તિ digestive capacity ઓછી થઈ જાય. જે આચરણ દ્વારા પરિવર્તન આવે છે એ માત્ર ભાષણોથી કે લખાણોથી નથી આવતું. ભગવાન મહાવી૨ અને બુદ્ધના સમયમાં જે પરિવર્તન દેખાયાં એનું કારણ જીવંત આચરણવાળી આદર્શ વ્યક્તિ લોકો સમક્ષ ઊભી હતી. ચૂંટાવા માટે નેતાઓ સદાચાર, સત્ય અને પવિત્રતાની વાતો કરે છે પણ આચરણ સાથે એને શું લાગેવળગે ? Drinking wine અને preaching water. વાતો શુદ્ધ જળની કરે, Jain Education International માનવતાનાં મૂલ્ય * ૧૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy