SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ લઈ પછી તેને વૃદ્ધગૃહ Old houseમાં મોકલી આપવો ! કેવી ખોટી ભાવના ! સાચું શિક્ષણ નહિ આવે તો મને લાગે છે કે ભારતમાં પણ કદાચ એવો વખત આવે ! આણંદના વલ્લભવિદ્યાનગરમાં મારે એક ભાઈ સાથે વાતચીત થઈ. તે ભાઈએ કહ્યું : “ઈશ્વર કેમ દેખાતો નથી ?” આ પ્રશ્ન સાંભળી મને એક ચિન્તકે આપેલો ઉત્તર યાદ આવ્યો. પછી મેં કહ્યું, “તમે આ કાગળ ઉપર ઈશ્વર શબ્દ લખો.' પછી મેં કહ્યું : “આના ઉપર એક રૂપિયો મૂકો.” અને એણે ખિસ્સામાંથી રૂપિયો કાઢ્યો અને એના ઉપર મૂક્યો. મેં પૂછ્યું : “હવે ઈશ્વર ક્યાં છે ?'' એણે કહ્યું : “ઈશ્વર રૂપિયા નીચે દટાઈ ગયો છે.' બસ આ જ વાત છે. ઈશ્વર પરમાત્મા ધન નીચે દટાઈ ગયો છે. આ જ રીતે પૈસાની નીચે જેમ ભગવાન દબાઈ ગયો તેમ કેળવણી નીચે માણસ દટાઈ ગયો છે. આજ સમાજમાં સૌ કોઈ પૈસા પાછળ પડ્યા છે. જેની પાસે પૈસા વધારે હોય તેને સમાજમાં વધારે માન મળે છે. આવા ધનલોભી કરતાં પશુ વધારે સારાં. તે પોતાના જીવન સુધી મૌનપણે સેવા બજાવે છે, અને મર્યા પછી પણ તેનાં ચામડાં, શીંગડાં, હાડકાં વગેરેથી કાંઈક આપતાં જાય છે. માણસનું શું કામ લાગે છે ! શિક્ષકો આધુનિક ભારતના ઘડવૈયા છે; તેના પર સૌએ મીટ માંડી છે. તેની પાસે જે બાળકો શિક્ષણ કે સંસ્કાર મેળવવા આવે છે તેઓને એવું શિક્ષણ આપવું જોઈએ કે શિક્ષણ લેનારને થાય કે જેમ આપણા શિક્ષક, જીવન જીવી ગયા; તેમ અમે પણ અમારું જીવન વિતાવીએ. શિક્ષકે ધૂળમાંથી માનવ બનાવવાનો છે. એક વખતે કોઈએ માટીના ઘડાને પૂછ્યું, “ઘડા, તારી કિંમત કેટલી ?’’ જવાબ મળ્યો : “બે આના.” બસ, બે જ આના ?” “હા, બે આના.’' ઘડો કહેવા લાગ્યો. મારી કિંમત બે જ આના કેમ છે તે સાંભળો. પ્રથમ હું ઢેકું હતું (ઢેકું નાન્યતર જાતિ). કુંભાર મને ગધેડા ૫૨ નાંખી પોતાને ઘેર લઈ ગયો. ત્યાં હું માટી બની (નારી જાતિ) કુંભારે મને ખૂંદી પિંડ બનાવી ચાક પર મૂક્યો, ને પુષ્કળ ઘૂમરી લીધી. એટલે મારો આકાર થયો. કેટલોક ભાગ તેમાંથી કાપી નાખી મને તડકામાં મૂક્યો. હું પુરુષ બન્યો (ઘડો). કુંભારે મને અગ્નિમાં નાંખ્યો; તેમાં જે કાચા ઘડા હતા તે ફૂટી ગયા. જે ફૂટ્યા તેનાં ઠીકરાં થયાં. ઠીકરાં શું કામ લાગે છે તે તમે જાણો છો ? કચરો ઉલેચવાં. તેમ જે કાચા માણસ છે તેની પણ એ જ દશા થાય. હવે બાકીના જે સાંગોપાંગ રહ્યા તેમને કુંભાર લઈ આવ્યો. અને રસ્તા પર પ્રદર્શન ભર્યું. તેને Jain Education International ૨૩૪ : માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy