SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનની મુખ્ય જરૂરિયાત ત્રણ છે : અન્ન, વસ્ત્ર અને ઓટલો. એ સિવાય તમામ જરૂરિયાત વધારાની છે; બોજારૂપ છે; માટે જીવનમાં જે ખોટી જરૂરિયાત દેખાય છે તેને પોષણ ન આપો; તેને વધારો નહિ. જરૂરિયાત ઘટાડો. હાતિમતાઈએ એક વાર મિજબાની આપી. તેમાં આખું ગામ આવ્યું; પણ એક કઠિયારો ન આવ્યો. સાંજે કઠિયારો તેને મળ્યો ત્યારે તેને હાતિમતાઈએ પૂછ્યું : “કેમ ભાઈ, આખું ગામ જમવા આવ્યું; તોયે તમે ન આવ્યા ?” કઠિયારાએ કહ્યું : “જેના બાહુ સલામત છે; તેણે હાતિમતાઈને ત્યાં શું કામ જવું જોઈએ ?” એ પછી એક વાર હાતિમતાઈને કોઈએ પૂછ્યું : દાતા કોણ ?” એણે ઉત્તર વાળ્યો : “કઠિયારો. કારણ કે જેને પોતાને માટે બીજાની પાસે હાથ ધરવો પડતો નથી તે જ શ્રેષ્ઠ દાતા.” જે માણસને બીજાની વસ્તુ લેવાની જરૂર પડે તે પરાવલંબી છે. જે સ્વાવલંબી છે તે કોઈને લૂંટતો નથી; અને કોઈનીય સ્પૃહા રાખતો નથી. આ પ્રકારનું જીવન જીવનાર કોઈની પણ સામે અણનમ મસ્તકે ઊભો રહી શકે છે. સાદું જીવન જીવનારો નિષ્કલંક હોય છે. એવું જીવન જીવીએ તો આભને આંબે એવું ઉન્નત માથું રાખી શકીએ. મહાત્મા આનંદઘનજી કહે છે કે જેમ કૂતરો આશા ધારણ કરીને ઘેર ઘેર ભટકે છે; તેમ વધારે જરૂરિયાતવાળો માણસ પણ ઠેરઠેર ભટકતો હોય છે; પરંતુ સ્વાવલંબી કોઈના ઘરે જતો નથી. પહેલાં ગામડાંના લોકો પોતાનાં બાળકોને શિક્ષણ અપાવતા; તેના બદલામાં શિક્ષણ આપનારને ભિક્ષા કે દક્ષિણા આપતા. પણ તેનું સ્થાન સમાજમાં ગુરુનું હતું. આજે તો પ્રોફેસરો પણ પંતજી ગણાય છે. તે વખતે શિક્ષણ આપનાર વ્યક્તિ નિઃસ્પૃહી હતી. આજે તો ગામડે ગામડે અને શહેર શહેરમાં સ્કૂલ-કૉલેજમાં શિક્ષણ અપાઈ રહ્યું છે, પણ તે ભાડૂતી. આ શિક્ષણ ભાડૂતી ધાવમાતા બાળકને રમાડે એવું છે. એમાં સ્નેહ નથી, વાત્સલ્ય નથી, મમતા નથી. માત્ર બદલો લેવાની ભાવના છે. વધારે લેવું છે અને થોડું આપવું છે. હમણાં યુરોપમાંથી થોડી બહેનો ભારતમાં આવી છે. તેઓ અહીં રહીને ભારતના કુટુંબજીવનનો અનુભવ લે છે, અને અહીંના કુટુંબજીવનનો ખ્યાલ મેળવે છે. તેઓ મને મળવા આવ્યાં ત્યારે કહે કે “યુરોપમાં તો વૃદ્ધો માટે અલાયદાં મકાનો તૈયાર હોય છે, ત્યાં તેમને રાખવામાં આવે છે.” આ વાત કેવી વિચિત્ર લાગે છે ! માણસમાં જ્યાં સુધી રસકસ રહે, ત્યાં સુધી તેને ચૂસી હવે તો જાગો ! ૯ ૨૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy