SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યારે જે શિક્ષણ અપાઈ રહ્યું છે, તે કેટલેક અંશે જગતને છેતરનારું લૂંટનારું છે, ચોરી કરનારી વૃત્તિ કેળવે એવું છે. મનુષ્ય જેમ વધારે ભણેલો તેમ તે વધુ પ્રપંચી અને વધુ કાવાદાવાવાળો બને છે આજના કેટલાક વકીલો, બૅરિસ્ટરો અને ન્યાયાધીશોને જોજો. તે કહે છે કે ચોરી કરીને આવો, કે ખૂન કરીને આવો; પણ સાથે નાણાંની કોથળી લેતા આવો ! તમારો બચાવ કરવા અમે બેઠા જ છીએ. શું આ જીવન છે ? ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે જેમ ગધેડો ચંદનનાં લાકડાં ઉપાડી જતો હોય તો તેને કાંઈ સુગંધી મળતી નથી, પણ ભાર જ મળે છે, તેમ સદાચાર વિના, માત્ર જ્ઞાનનો બોજ ઉપાડીને ફરનાર પણ એક પ્રકારનો ગધેડો જ છે. આપણી પાસે જે જ્ઞાન છે, તેનો સદુપયોગ ન કરીએ, તો તે આપણને અને જગતના લોકોને શા કામનું ? કોળિયો અન્ય જીવને ફસાવવા માટે જાળ ૨ચે છે, માખી કે બીજાં જંતુને તેમાં ફસાવે છે, પણ છેવટે પોતે પણ એમાં જ ફસાઈ જાય છે : આજનું શિક્ષણ પણ એની જેમ ફસાવે એવું જ છે ને ? “સા વિદ્યા યા વિમુક્સ્ચે” આ સૂત્ર જે દીવાલ ઉપર છે તેને તમે તમારા દિલની દીવાલ ઉપર કોતરો. જે કેળવણી માણસને પોતાના જીવનનો ભાર બીજા ઉપર નાખીને જીવતાં શીખવે, તે કેળવણી પણ નથી અને તે લેનાર કેળવાયેલો માણસ પણ નથી. જીવનમાં ઓછામાં ઓછી જરૂરિયાત રાખો, સાદું જીવન જીવો, ઊંચા વિચાર રાખો, સાદો ખોરાક લો, અને ઉચ્ચ જીવન બનાવો એમ જે શિખવાડે તેનું નામ જ તાલીમ. એ કહે છે કે મગજ દ્વારા નહિ પણ જીવન દ્વારા જીવન જીવતાં શીખો. આ યંત્રયુગમાં તો મગજને પણ તસ્દી ન આપવી પડે એવાં યંત્રો શોધાયાં છે. યંત્ર ઉ૫૨ હજારો રકમના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર થાય છે. આ કામ સહેલું નથી, કઠિન છે; પણ આ કઠિન કાર્ય વિના આપણો આરો નથી, આપણને શાંતિ પણ નથી. માણસ પોતાના પગ પર ઊભો રહેતાં શીખે, અને કોઈના પણ આધાર વિના જીવી શકે, એ જ પાયાની કેળવણી. અંગ્રેજી કેળવણી તો વેલ જેવી છે; એને ઝાડનો ટેકો જોઈએ, પરંતુ બુનિયાદી કેળવણી તો વડના ઝાડ જેવી છે તેને ટેકાની જરૂ૨ નથી, તે અન્યને છાંયડો આપે છે, પક્ષીઓ તથા માનવોને વિશ્રામ આપે છે. આત્માની જરૂરિયાત જેમ જ્ઞાન, સંયમ અને તપ છે, તેમ આપણા Jain Education International ૨૩૨ * માનવતાનાં મૂલ્ય — For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy