SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ આપણું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતું નથી. પ્રતિબિંબને સ્વચ્છ અને નિર્મળ અરીસો જ ઝીલી શકે. એ પ્રમાણે આપણું જીવન પણ પવિત્ર, સ્વચ્છ અને નિષ્કલંક હોવું જોઈએ. કોઈ પણ માણસ આપણું જીવન તપાસે તો તેને આપણામાં કાંઈ ઊણપ ન દેખાવી જોઈએ. આપણા જીવનમાંથી એને પ્રકાશ મળવો જોઈએ, અને એનાથી એનું જીવન પ્રકાશમય બની જવું જોઈએ. આપણા જીવનમાંથી સાફ તત્ત્વો એને મળવાં જોઈએ, નબળાં નહિ. ભવિષ્યના નાગરિકો તૈયાર કરનાર શિક્ષકોનું જીવન આ દૃષ્ટિએ પવિત્ર અને નિષ્કલંક હોવું જોઈએ. લોંગફેલોએ કહ્યું છે કે ""Lives of great men all remind us, We can make our lives sublime, And, departing leave behind us Footprints on the sands of time." મોટા માણસોની જિંદગી જીવનની મહત્તાને સંભારી આપે છે કે જેથી આપણે આપણા જીવનને ઊર્ધ્વગામી બનાવી શકીએ અને આ જગતમાંથી વિદાય લેતી વખતે કાળની રેતી પર આપણાં શુભ કાર્યોની પગલીઓ મૂકતા જઈએ કે જેને આધારે ભૂલા પડેલા આપણા બંધુઓ જીવન-પંથમાં હિંમતપૂર્વક આગળ વધી શકે. એવા મોટા માણસના પગલે જઈશું તો આ ભવસાગરના વમળમાં ભૂલા પડતાં માર્ગ મળશે. આ જીવન અતિ ગૂઢ છે. જીવન સહેલાઈથી જીવી જવાય એવું નથી. અનેક મુશ્કેલીઓ, આંટીઘૂંટી અને દુઃખની ઊંડી ખીણો ઓળંગવી પડશે, અને તે વખતે આદર્શોનું ભાથું આપણી પાસે હશે, તો જ આ જીવનપંથને વટાવી શકાશે. દરેક માણસે પોતાના આદર્શો નક્કી કરી લેવા જોઈએ – અંતે એ જ કામ લાગશે. આપણે બધા ભીંત ઉપર સૂત્રો લખીએ છીએ, પણ એ સૂત્રનું રહસ્ય જીવનમાં ઉતારવું જોઈએ. જેમ એન્જિનની પાછળ ડબ્બો દોડી આવે છે, તેમ આપણા જીવનરૂપી ડબ્બાને આદર્શરૂપી એન્જિન લગાડવું જરૂરી છે કે જેથી જીવનમાં વેગ આવે, અને એ પ્રગતિ કરે. એક ઠેકાણે કહ્યું છે કે સત્ય એ તો પ્રકાશ છે. દશ હજાર વર્ષનું અંધારું હોય છતાં ત્યાં જો એક દીવાસળી સળગાવવામાં આવે તો તત્કાળ અંધકાર દૂર થઈ જાય છે. વ્રત એ પણ પ્રકાશ છે. એ આવે તો જ સ્વચ્છંદતાનું અંધારું જાય. આ પ્રકાશના આગમનથી આપણામાંથી દાનવતા નાશ પામશે અને માનવતા આવશે, કારણ કે માનવી દિવ્ય ચેતનાવંત પ્રાણી છે. એણે પોતાના જીવનમાંથી માનવતાની હવા પેદા કરવી જોઈએ. હવે તો જાગો ! ક ૨૩૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy