SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ માનું દૂધ પીનાર, એનાથી પોતાની શરીરને પોષનાર, એના વડે સશક્ત બનનાર અને એનાથી જીવન મેળવનાર, એ જ માતાની ઉપેક્ષા કરનારને આપ સપૂત કહેશો કે કપૂત ? એને ઉત્તમ કહેશો કે અધમ ? તેવી જ રીતે ગાયનું દૂધ પીનાર, અને વસૂકી જતાં એની ઉપેક્ષા કરનાર, એને કસાઈખાને મોકલનાર એ કેવો કહેવાય ? ગાયો – નિર્દોષ પ્રાણીઓ – આજે કસાઈખાનામાં કપાઈ રહ્યાં છે ? ગોમાંસ છડેચોક વેચાઈ રહ્યું છે. શું આ આપણી આઝાદી ? એ નિર્દોષ પશુઓની વેદનાભરી આંખો સામે તો જુઓ ? એમની મૂકવેદના કોણ સાંભળે તેમ છે ? વાતો કરે કંઈ જ નહિ વળે. પ્રતિજ્ઞા કરો. ઘેર ઘેર એક પેટી રાખો. સવારે ઊઠી એ પેટીમાં કંઈક નાંખીને પછી નિત્ય કાર્યો કરવાં જોઈએ, ભલે એક પૈસો નાંખો. પણ સૌ આ નિયમ પાળે તો બાર મહિને કેટલી મોટી રકમ ભેગી થાય ? એ રકમ આવી પાંજરાપોળને અંજલિરૂપે, અર્ણરૂપે અર્પો. એ જ સાચું ગૌપૂજન છે ! એમને કસાઈખાને જતી અટકાવવી એ જ સાચી પૂજા છે ! ઘણા કહે છે : ગાયના પૂછડામાં તેત્રીસ કરોડ દેવતા છે એનો અર્થ શો ? તેત્રીસ કરોડ દેવતા એટલે તેત્રીસ કરોડ માનવ. દૂધ, છાશ, ઘીથી એ તેત્રીસ કરોડ માનવોને પોષે છે. પશુધન પર માણસના જીવનનો આધાર છે. એટલે ગૌરક્ષાનો ટૂંકો લાક્ષણિક અર્થ ઇન્દ્રિયરક્ષા થાય છે. ગૌપાલન એટલે ઇન્દ્રિયપાલન, કારણ કે ગાયના ગોરસથી ઇન્દ્રિયો સશક્ત અને સતેજ રહે પણ એકલું ગૌપાલન કરીને અટકી જવાનું નથી. માનવધર્મ એથીયે આગળ જાય છે. ગાયોને પાળવી અને બીજાં પ્રાણીઓને કતલખાને જવા દેવાં એ તો સ્વાર્થધર્મ થયો. ગાય દૂધ આપે છે, એટલે એને પોષવી, અને બીજાં પ્રાણીઓ ઉપયોગી નથી, એટલે એના પ્રત્યે ઉપેક્ષા કરવી, એ માનવને શોભે ખરું ? સ્વાર્થમાં દાનવતા છે, પરમાર્થમાં માનવતા છે. માનવધર્મના ઉપાસક અબ્રાહમ લિંકન મને યાદ આવે છે. એ અમેરિકાના પ્રમુખ હતા. એક વખત એ પાર્લમેન્ટમાં જઈ રહ્યા હતા. ગાડી ઝડપથી જઈ રહી હતી. એમની નજર કીચડમાં ખેંચી ગયેલા એક ડુક્કર પર પડી. એ કીચડમાં તરફડી રહ્યું હતું, ચીસો પાડી રહ્યું હતું. લિંકને ગાડી ઊભી રાખી, ડુક્કર તરફ દોટ મૂકી, કીચડમાં ખૂંપી ગયેલા એ નિરાધાર પશુને એમણે અજબ રીતે ઉગારી લીધું ! પણ એનો સૂટ કીચડમાં ખરડાઈ ગયો. ફરી ઘેર જઈ કપડાં બદલવા જેટલો સમય નહોતો. પાર્લમેન્ટનો સમય થઈ ગયો હતો અને સમયની નિયમિતતા માટે તો લિંકન પ્રસિદ્ધ હતા. એ સીધા ૨૨૮ % માનવતાનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy