SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ સાચો હશે તો સહાયતા એક નહિ તો બીજેથી પણ મળી રહેશે. કાર્ય કદી નહિ અટકે આ પ્રસંગે જે એક વાત યાદ આવે છે તે એ છે કે કેટલાક લક્ષ્મીનંદનો પોતાના પૈસાને વિલાસના માર્ગે વાપરી રહ્યા છે; જેના પાપે સમાજની સંસ્કારિતાનો ધ્વંસ થઈ રહ્યો છે. પૈસો સાથે માર્ગે ન વપરાય અને ખરાબ માર્ગે વપરાય, વિલાસને માર્ગે ખરચાય તો જાણજો કે એ અન્યાય અને માનવશોષણમાંથી આવેલ છે, અને જેની પાસે હોય તેનો વિનાશ કર્યા વગર નહિ રહે. તમે જોયું ને, કે રાજાઓનાં રાજ્ય ગયાં; તો આ ખોટી રીતે આવતો અને ખોટી રીતે જતો પૈસો કેવી રીતે ટકશે ? આ સિવાય અહીં સ્મશાનની સામે જ ઇક્ષ્મટેક્સ ઓફિસ છે એ સૂચવે છે કે દુનિયામાં વાપરીને આવો. સારા કામમાં નહિ વાપરો તો Death Duty અહીં ભરવી પડશે, જમાનો કેવો આવ્યો ! માણસ શાંતિથી મરી પણ ન શકે ! મરતી વખતે ટૅક્સ અને મર્યા પછી પણ ટેક્સ ! પૈસા હાથે ન વાપરવાનું આ પરિણામ. બંગાળમાં ભારતેન્દ્ર હરિશ્ચંદ્ર નામના એક ધનપતિ થઈ ગયા. એ ઉદારતાપૂર્વક પૈસો વાપરતા. એમના સ્વજનો અને મિત્રોએ કહ્યું : “તમે પૈસાને પાણીની જેમ જેમ વાપરો છો ?” એમણે હસીને ઉત્તર આપ્યો : “આ સંપત્તિ મારા બાપને અને મારા દાદાને ખાઈ ગઈ. મને પણ એ ખાવા માગતી હતી. પણ મેં વિચાર્યું કે એ મને ખાઈ જાય તે પહેલાં હું જ એને ખાઈ જાઉં.” હું પણ આપને એ જ સલાહ આપું, કે એ તમને ખાઈ જાય એ પહેલાં તમે એને ખાઈ જાઓ. અને એમ કરવાથી તમે એક સામાન્ય સંપત્તિના બીજમાંથી મહાન સંપત્તિના અમર વૃક્ષને ઊભું કરશો કે જેને કાળ પણ નહિ ખાઈ શકે. આ સિવાય મારે આપને ખાસ વાત કહેવાની છે કે આવા કાર્યોમાં મોટામાં મોટું ભયસ્થાન તો મોટાઈનું છે. એક માણસ કામ કરે ત્યારે બીજો વિચારે કે એ મને ક્યાં પૂછીને કરે છે ? કરવા દો એને ! હું પણ જોઉં છું કે એ કેવી રીતે કરે છે ? એમ વિચારી કામ કરનારને સહાયતા આપવાને બદલે એને તોડવા પ્રયત્ન કરે; કાં એના કામમાં અંતરાય નાખે, અને એ રીતે પોતાની મહત્તા બતાવે. પણ યાદ રાખજો કે ક્ષણભરની માણસની અહમૂની તુચ્છતાથી માણસનો વિકાસ નથી થતો, પણ વિનાશ થાય છે. એકબીજાના પૂરક બનો, એકબીજાને ટેકો આપો, અને એકબીજાને આગળ વધારો. જ્યાં સંપ હોય છે, ત્યાં જંપ હવે તો જાગો ! ૪ ૨૨૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy