SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ જાઓ, અને ગામનો કચરો દેશબહાર લઈ જાઓ. દેશનો કચરો દુનિયાની બહાર લઈ જાઓ, અને અંતે એને દરિયામાં ફેંકી દો. પણ આજે તો દુનિયા વામમાર્ગે ચાલે છે, ઊંધે માર્ગે ચાલે છે. મને યાદ છે કે દેશમાં લડત ચાલતી હતી ત્યારે કેટલાયે યુવાનો હાથમાં ઝાડુ લઈ આખો બજાર વાળી આવતા, પણ એની મા માંદી હોય અને ઘરનું આંગણું વાળવાનું હોય તો ના કહી ચાલવા માંડતા. તે વખતે સેવા જાણે ફૅશન હતી. આવા માણસો દુનિયાનો કચરો વાળવા નીકળે; એ કચરો પોતાના દેશમાં લાવે, દેશનો પોતાના ગામમાં, ગામનો પોતાના મહોલ્લામાં અને મહોલ્લાનો પોતાના ઘરમાં લાવે. આનું નામ જ વામ-માર્ગ ? હું તો કહું છું કે પહેલાં તમારી જાતને સુધારો. પછી ઘર અને જ્ઞાતિને સુધારો; એ રીતે ચારે બાજુથી સુધારો આવશે તો આપણો ધર્મ, સમાજ અને દેશ જરૂર મહાન અને બળવાન બનશે. કામ આજની કેળવણી જીવનને માર્ગદર્શક ત્યારે જ બને કે જ્યારે એ કેળવણીને ધર્મનું માર્ગદર્શન હોય. કેળવણીકારોએ ધર્મને આધો મૂક્યો છે. આવા સંજોગોમાં યુવાનોમાં ધર્મનું તેજ આવે ક્યાંથી ? એટલે હવે આ જ્ઞાતિઓએ અને સમાજે ઉપાડી લેવાનું છે. અને ધર્મનું હવામાન ઊભું કરવાનું છે. એક રીતે સુધરેલી વ્યક્તિ અનેક રીતે ઉપયોગી થશે, કારણ કે એક જ માણસને જીવનનાં કેટલાં અંગો છે ? ધર્મની દૃષ્ટિએ ધાર્મિક છે, જ્ઞાતિની દૃષ્ટિએ જ્ઞાતિજન છે, સમાજની દૃષ્ટિએ સામાજિક છે, દેશની દૃષ્ટિએ રાષ્ટ્રીય છે અને જીવનની દૃષ્ટિએ વ્યક્તિ છે. આ રીતે કોઈ પણ જ્ઞાતિનો એક સંસ્કારી અને સંયમી માણસ ધર્મ, સમાજ દેશ અને જીવનને ગૌરવરૂપ થઈ પડે છે, અને એની સંસ્કારછાયા સમગ્ર વર્તુળ ઉપર પડે છે. પણ આજે આપણી આસપાસની હવામાં અમરત્વની ભાવના ક્યાં છે ? એ ભાવના સાચા ધાર્મિક શિક્ષણથી લાવી શકાય. આધ્યાત્મિક વિચાર વિના એ અમરત્વનો ખ્યાલ કોણ આપે ? આધ્યાત્મિક જ્ઞાન જ જીવનની અસ્મિતા પ્રગટાવી શકે, એટલે દુન્વયી જ્ઞાન સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ મળો એમ આપણે ઇચ્છીએ. હમણાં એક ભાઈ બોલ્યા : “દાન દેનારા ઘણા છે, પણ લેવા જનાર નથી.' આ વાક્ય શેઠશ્રી કસ્તૂરભાઈએ થોડા દિવસ પહેલાં ઉચ્ચાર્યું હતું. એમનો અનુભવ સાચો છે, પણ સાથે સાથે એ પણ સાચું છે કે જેવાં તેવાં તકલાદી કાર્યો ઊભાં કરવાથી પૈસા નથી મળતા. કાર્ય સાચું જોઈએ, નક્કર જોઈએ, અને એ કાર્યની પાછળ કાર્ય કરનાર સાચો આત્મા જોઈએ. આત્મા Jain Education International ૨૨૪ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy