SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર એ અમારું જીવન છે, આશા એ અમારો પ્રાણ છે, અને જીવનની સ્વચ્છતા એ અમારું સર્વસ્વ છે, એમ જ્યારે વિદ્યાર્થીઓને લાગશે, ત્યારે લોકો કેળવણીને વખાણશે, અને આજે જે કેળવણી વખોડાય છે, તે પ્રશંસાને પાત્ર બનશે. આટલાં આટલાં વર્ષોથી તમે આ પ્રવૃત્તિ ચલાવો છો; પણ પ્રથમ કક્ષાએ આવે એવા કેટલા તૈયા૨ થયા ? જેનું નામ આંગળીને ટેરવે આવતું હોય એવો એક પણ તૈયાર ન થયો હોય, તો વિચારવું ઘટે કે આપણે ત્યાં સિંહ તૈયાર થયાં છે કે ઘેટાં ? પ્રાચીન ભારતની પુણ્યતીર્થ જેવી તક્ષશિલા, નાલંદા અને વલ્લભીની વિદ્યાપીઠોનું સ્મરણ કરતાં આપણું હૃદય ગૌરવથી છલકાઈ જાય છે. જ્ઞાનના પુંજ અને તેજના ફુવારા જેવા ચારિત્રવાન વિદ્યાર્થીઓથી આપણો દેશ, આપણો ધર્મ, આપણો સમાજ અને આપણો ઇતિહાસ ઊજળો છે. ચીનના મહાયાત્રી હ્યુયેનશાંગ જેવાને એમનો ઉલ્લેખ, પોતાની સ્મૃતિનોંધમાં કરવો પડ્યો છે. આજના કેટલાક યુવાનો તો વાળ, કપડાં અને બૂટની ટાપટીપમાંથી જ ઊંચા નથી આવતા. આવા યુવાનો પણ પ્રથમ કક્ષાએ તો આવતા જ હોય છે. પણ શામાં ? સિનેમા અને નાટકનાં નટ-નટીઓની પસંદગી કરવામાં ! આમ કહીને હું મારા યુવાન મિત્રોને ઉતારી નથી પાડતો; હું તો એમને જાગ્રત કરવા માગું છું, ચેતાવવા માગું છું. આવતી કાલ ઉપર મને પૂર્ણ વિશ્વાસ અને આશા છે; કારણ કે આ યુગમાં પણ આત્મઅર્પણ અને સંયમથી શોભતા કેટલાયે ભણેલા આપણી નજર સમક્ષ છે, જે આપણી શ્રદ્ધા અને આશાના પ્રતીક છે. હું તો એટલું જ કહું છું કે દૂષણોને દૂર કરી કેળવણીને નિષ્કલંકિત બનાવો. જ્ઞાતિવાદમાં કેટલાંય દૂષણો અને દુર્ગુણો પેઠા છે, જેનો ઇતિહાસ લાંબો છે. છતાં એના ફાયદા પણ એટલા જ છે. દૂષણોને દૂર કરી, આપણે એ દ્વારા લાભ ઉઠાવવાનો છે. આજે વિદ્યાર્થીઓને છ માસની ફીની આટલી મોટી રકમો અપાય છે, અને વિદ્યાર્થીઓને અધ્યયનમાં જે સહાયતા મળે છે તે જ્ઞાતિની સંસ્થાને આભારી છે. હું તોડવા કરતાં જોડવામાં માનનારો છું, એટલે જે છે, તેમાંથી સારું લેવાનું છે, અને ખરાબને છોડવાનું છે. તમે જગતને સુધા૨વા માગો છો ? ભલે સુધારો. પણ તમે જ્યાં છો ત્યાંથી શરૂઆત કરો. તમે તમારા ઘેરથી કચરો કાઢવાની શરૂઆત કરો. ઘરને વાળી, કચરો ઘર બહાર લઈ જાઓ. પછી શેરીનો કચરો ગામ બહાર લઈ Jain Education International હવે તો જાગો ! * ૨૨૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy