SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તું તારા માળાને સ્વચ્છ ને સુંદર રાખજે. કાંટા-ઝાંખરાં લાવીને તારા માળામાં ન ભરતો. નહિ તો અવસરે તું જ એમાં ભરાઈ જઈશ. ઊડવા ધારીશ ત્યારે નહિ ઊડી શકે. અને તારા માળાનાં દ્વાર પણ મોટાં રાખજે કે જેથી ઊડતી વખતે તારી પાંખોને ઈજા ન થાય. માણસો ઈંટ ચૂનાથી ઘર બાંધે છે. પંખીઓ માળો ઘાસથી બાંધે છે – દેહને રહેવાનો માળો ઇંટ, ચૂના ને માટીથી બંધાય. પણ રે, આપણા આત્માનો માળો કયો ? આ દેહ એ આત્માનો માળો છે. પંખી જેમ માળાને મૂકીને ઊડે છે, અને માણસ બંગલાને છોડીને બહાર વિહરવા જાય છે, તેમ આત્મા આ દેહને છોડીને પરલોકના પ્રવાસે ઊપડે છે. પંખીને માળો સાથે નથી આવતો. માણસને બંગલો સાથે નથી આવતો, તેમ આત્માને આ દેહ સાથે નથી જતો, છતાં પંખીને અને માણસને કેવી મમતા છે ? એક ભાઈને પૂછ્યું : “આ બંગલો કોનો છે ?” એણે પોતાની છાતી પર હાથ મૂકતાં ગર્વથી કહ્યું : “મારો છે, આપ જોતા નથી ? બંગલા પર મારું જ નામ છે !” એમ કહી એણે તકતી સામે આંગળી ચીંધી, પણ આ ભોળા જીવને વિચાર પણ નથી આવતો કે આ ક્યાં તારો છે ? તારા દાદા મૂકીને ગયા, તારા બાપા મૂકીને ગયા, અને હવે થોડા દિવસમાં તુંય મૂકીને જવાનો. તારા સગા દીકરા પણ તારો અગ્નિસંસ્કાર આ બંગલાના કંપાઉન્ડમાં નહિ કરવા દે. તને તો ઊંચકીને જમાલપુર ભેળો કરશે ! છતાં મકાન જોઈ મલકાય છે, અને કહે છે, “આ મારો બંગલો છે !” આવી મમતાવાળા માણસો કરતાં તો પંખી સારાં કે સમય આવે, આસક્તિ રાખ્યા વિના માળો મૂકીને ઊડી જાય. માણસ પોતાના માળા માટે કેટલી મુસીબત ઉઠાવે છે ? ટુકડા જમીન માટે કેવાં વેરઝેર બાંધે છે ? માળાની ચિંતામાં વિદાય વેળાએ આપણું આત્મપંખી જ અટવાઈ જાય છે. માણસ જાગે તો ચિંતા ભાગે. માણસને ખ્યાલ આવવો જોઈએ કે એના દેહમાં કોઈ મહાન વસે છે, ઈશ્વર વસે છે, પરમાત્મા વાસ કરે છે. આવો વિચાર આવે તો માણસ કેવો નિર્ભય રહે ? એના મોં પર અભયનું કેવું તેજ ચમકતું હોય ? અત્યારે માણસની એવી સ્થિતિ છે કે એક પ્રધાન સાથે વાત કરવી હોય તોય એના હાથ ધ્રુજે, અને જીભનો લોચો વળી જાય. જોકે આવો માણસ પણ પોતાના નોકર આગળ કે પોતાના આશ્રિત આગળ તો દમ મારતો હોય છે, પણ એથી કાંઈ તેજસ્વિતા આવી ગઈ એમ ન કહેવાય. હવે તો જાગો ! * ૨૧૭ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy