SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ વિનાશે મને આ રીતે વિચાર કરતાં શીખવ્યું છે, કે કાળ આવશે ને મારી પ્રિયતમાને પણ મારાથી દૂધ લઈ જશે. આ વિચાર એક મૃત્યુ સમાન છે, કે જેને માટે રુદન સિવાય બીજો કોઈ માર્ગ નથી, કારણ કે જે વસ્તુ તેણે પ્રાપ્ત કરી છે તેને ગુમાવવાનો તેને સદા ભય રહે છે. અર્પણનો આતશ પ્રકૃતિ અને માનવહૃદયની મહત્તાને ગાનારી આ મહાકવિ પણ અહીં કેવો ગમગીન છે ! આવી ગમગીનીમાં શાંતિ કોણ આપે ? અરણ્ય જેવી એકલતામાં આશ્વાસન કોણ આપે ? માણસ સમ્યગદર્શન દ્વારા જીવનના આવા દુઃખદ પ્રસંગોને પણ એક જુદી જ દૃષ્ટિથી, એક જુદા જ ભાવથી આવકારી શકે. મને યાદ છે, આજથી લગભગ પંદર વર્ષ પહેલાં એક વાર અમે મિત્રો નાસિક પર્યટન માટે ગયેલા, ત્યાં રસ્તામાં રોગીષ્ઠ દશામાં એક સાધુ બેઠો હતો. તેના શરીર પરનાં ગૂમડાં પર કીડા ખદબદતા હતા. કીડા એટલા બધા હતા કે ગૂમડાંમાંથી ગબડીને નીચે પડે. પણ પેલો સાધુ બહુ જબરો ! નીચે ગબડેલા એ કીડાને ઊંચકીને ગુમડા પર મૂકતાં કહે : “અરે, બાહર કહાં જાતા હૈ ? બૈઠ ઈધર, બાહર ભૂખા મર જાયગા.” આવી રીતે ગૂમડાં ખદબદે છે, છતાં એ મસ્ત છે. એની મસ્તીનું કારણ એ જ છે કે દુઃખને સ્વેચ્છાપૂર્વક સ્વીકારવાનું એની પાસે આત્માનું દર્શન છે. ભગતસિંહને ફાંસીએ ચડાવતાં પહેલાં માફી માગવા સમજાવ્યા, પણ એણે તો દેશાભિમાનની મસ્તીમાં એમ જ કહ્યું : “કોઈ પણ દેશનો નાગરિક પોતાના દેશની આઝાદી માટે જે કરે છે તે જ મેં મારા દેશ માટે કર્યું છે અને તે બરાબર છે.” એમ કહી ફાંસીના દોરડાને પણ ફૂલની માળા ગણીને એ ભેટી પડ્યા. આવી ફનાગીરી અને આવી ખુમારી માણસમાં ક્યારે આવે ? કોઈ પણ ઉદાત્ત હેતુ માટે માણસ નિર્ણય કરે છે, ત્યારે જ એનામાં અર્પણનો આવો આતશ પ્રગટે છે. આ મસ્તી, આ આતશ, રૂપિયાથી કે સત્તાથી નથી મળતો, પણ આત્માની પ્રમાણિક નિષ્ઠામાંથી પ્રગટે છે. અને તે પ્રસંગે મૃત્યુનો પણ એક પ્રકારનો આનંદ માણી શકાય છે – માળો છોડી અનંત ગગનમાં ઊડતા પંખી જેવો. માનવી અને માળો આત્મપંખી ! તું ગગનવિહારી છે, અનંત આકાશમાં ઊડનાર તું મુક્ત પંખી છે. માળામાં તું વસે છે, પણ માળો એ તું નથી. માળો તારાથી ભિન્ન ૨૧૬ = માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy