SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ હોય, એવો સાથી સાથ છોડીને ચાલ્યો જાય, એવા સંજોગોમાં પણ વૈર્યને ખોયા વિના, ભય રાખ્યા વિના, આગળ વધ્યે જ જાય છે. આત્મજ્ઞાની, લોકોના અભિપ્રાયના આધારે નહિ, પણ પોતાના આત્માના અભિપ્રાયના આધારે આગળ વધે છે. એ તો કહે છે : “લોકોને હસવું હોય તો હસવા દો, બકવું હોય તો બકવા દો; પણ મારો પંથ અફર છે.” એને પોતાના પ્રત્યેક પગલામાં શ્રદ્ધા હોય છે. એને પોતાની પ્રત્યેક ક્રિયામાં નિષ્ઠા હોય છે, અને પોતે સ્વીકારેલ ધ્યેય પાછળ સમર્પિત થવાનો એનામાં અદમ્ય ઉત્સાહ હોય છે. આવી વ્યક્તિ માટે કહી શકાય કે : In the long run he shell be happy & prosperous. પણ જે માણસ કાર્ય કરે છે, પણ એના પરિણામની જવાબદારી લેતાં ગભરાય છે, એ સફળ કેમ થાય ? એને ફૂલ જોઈએ છે, પણ કાંટા નથી ખાવા. અને કાંટા વાગે છે ત્યારે એને દૂર કરવા માટે એ જ્યાં ત્યાં પ્રાર્થના કરતો ફરે છે. સહનશીલતા અને સાધના વિના સિદ્ધિ થતી નથી, એ વાતને જાણે માનવી ક્ષણભર ભૂલી જાય છે. સોક્રેટિસ તો પ્રાર્થના કરતાં કહેતા : “ભગવાન, હું એક જ માગું છું. અયોગ્ય વસ્તુ હું માગું તો પણ તું આપીશ નહિ અને યોગ્ય વસ્તુ હું ન માગું તો પણ તું આપજે જ.” માણસ જો આ રીતે વિચારે તો એને દુ:ખમાંય સુખ લાગે, એને થાય કે ગૂમડું પાક્યું છે, તો એનું ઓપરેશન – operation – અનિવાર્ય છે. વેદના વેક્યા વિના દર્દ કેમ મટે ? વેદનાને વેક્યા વિના વિપત્તિ કેમ ટળે ? શ્રી શ્રેણિક નરકમાં પણ માનસિક શાંતિ અનુભવે છે. દેહને વેદના થઈ રહી છે, શરીરમાં આગ છે, પણ આત્મામાં શીતળતા છે, કારણ કે એ સમજે છે કે જેણે કર્યા છે તે ભોગવે છે. આ દેહે બીજાને દુઃખ દીધાં છે, તો આજે એને દુઃખ મળે છે, એણે બીજાને બાળ્યા છે, તો આજે એ પોતે બળે છે. એમાં મારે શું ? આત્મા, એ દેહથી ન્યારો છે. ખીંટીએ કોટ ટાંગ્યો હોય, એ સળગી ઊઠે, બળીને ખાખ થઈ જાય તો એના માલિકને નુકસાન થાય, પણ એ દાઝે તો નહિ ને ? કારણ કે દેહ કોટથી ભિન્ન છે. તેમ આત્મા પણ દેહથી ભિન્ન છે. પણ આજે અજ્ઞાનને લીધે આત્માનો પ્રકાશ આ દેહથી ઢંકાઈ ગયો છે. કાળના વિકરાળ પંજામાં ધ્વંસ થતી વસ્તુઓને જોઈને શેક્સપિયર કહે Ruin hath t'aught me thus to ruminate. That time will come and take my Love away. This thought is us a death which can not choose. But weep to have that which it fears to lose. હવે તો જાગો ! * ૨૧૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy