SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ સુમતિનો શોક ધીમેધીમે ઉલેચાતો ગયો અને એ ઊંડી ને ઊંડી ઊતરતી ગઈ, જ્યાં જીવનની પરમ શાંતિ હતી ! એણે પોતાના બંને પુત્રોના દેહને પથારીમાં પધરાવ્યા; એમના પર શ્વેત વસ્ત્ર ઓઢાડ્યું, અને પતિની પ્રતીક્ષા કરતી એ વિચારમાં ડૂબી ગઈ. આત્મારામે ડેલીમાં પગ મૂક્યો અને એનો આનંદ ઊડી ગયો, એને વાતાવરણમાં કાંઈક શોકની હવા લાગી. રોજ એ ઘેર આવતો ત્યારે એની પત્ની હસતા મુખે એનું સ્વાગત કરતી પણ આજે તો એ ઉદાસ હતી. આત્મારામે પૂછ્યું : “કેમ ? આમ ઉદાસ કેમ ? શું થયું છે ? તું તો જાણે ઘરમાં શોકનો સાગર લાવી છે !” કાંઈ નથી. એ તો પડોશી સાથે જરા કલહ થયો છે.” શોકના ભારથી નમેલી પાંપણોને ઊંચી કરતાં સુમતિએ કહ્યું. આત્મારામને આશ્ચર્ય થયું. સુમતિનો સ્વભાવ એ જાણતો હતો. આખું ગામ ગરમ થાય તોયે એની આંખમાં શીતળતાનો સાગર લહેરાયો હોય એવી એ શાંત હતી, અને એવી જ એ શાણી પણ હતી. આત્મારામે ગભરાઈને પૂછ્યું : “એવું તે શું થયું કે તારે કજિયો કરવો પડ્યો ?" “કાંઈ નહિ. વીસ દિવસ પર આપણા દિનેશનાં લગ્ન હતાં, ત્યારે હું પાડોશીને ત્યાંથી બે રત્નકંકણ પહેરવા લાવી હતી. આજે એ માંગવા આવ્યાં. મેં ન આપ્યાં, એટલે બોલવું થયું, અને કલહ વધ્યો.” સુમતિ આટલું ધૈર્યપૂર્વક બોલી ગઈ પણ એના અવાજમાં જરા વિષાદની છાયા હતી. “તુંયે ખરી છે. પારકાં કંકણ ક્યાં સુધી રખાય ? એનો માલિક માગવા આવે ત્યારે આપી દેવાં જ જોઈએ ને ! તારા જેવી શાણી સ્ત્રી આવી વાત પર કલહ કરે તો થઈ રહ્યું ના ? કોઈ જાણે તોય હસે એવી આ વાત છે. જા, જા, જલદી આપી આવ.” એને ઊભી કરતાં આત્મારામે મીઠો ઠપકો આપ્યો. જરા ઊભા તો રહો. તમે આપી આવવાનું તો કહો છો, પણ મને એ કેટલાં ગમે છે ! મારું મન એમાં કેટલું રમે છે, એ તમે જાણો છો ? કેવાં સુંદર એ રત્નકંકણ છે ! એનો ઘાટ, એની ઝીણી ઝીણી કારીગરી, જેની જોડ ન જડે ! અને એનાં રત્નો પણ કેવાં તેજસ્વી છે ? નાથ, મને તો એ પાછાં આપવાનું મન જ નથી થતું. મનમાં થાય છે, કે રાખી લઉ. પછી જે થવાનું હશે તે થશે. કજિયો તો કજિયો ! આટલું કહેતાં કહેતાં તો સુમતિનું હૃદય ભરાઈ આવ્યું. એની પાસે જ્ઞાન હતું, છતાં વિષાદ કાંઈ ઓછો ન હતો ! હવે તો જાગો ! ૨૧૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy