SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ આ બંને પ્રસંગોમાં પ્રિયજન તો બંનેએ ગુમાવેલ છે; પણ એક સમાધાન મેળવે છે, બીજો ઝૂરે છે. કવિ જીબ્રાન કહે છે : “"When you are sorrowful, look again in your heart, and you shall see that in truth you are weeping for that which has been you delight." જ્યારે તમને શોક લાગે ત્યારે વળી તમારા હૃદયમાં જોજો. અને તમને જણાશે કે સાચે જ તમે જેને માટે રડી રહ્યા છો તે તમારા હર્ષનો વિષય હતો, એટલે જે હર્ષ આપે એ શોક આપે જ. એ શોકને ટાળવાનો માર્ગ એક જ છે, અને તે આત્માનું જ્ઞાન અને પ્રકૃતિનું ઊંડાણ ! આત્મજ્ઞાન થતાં શોક કેવો હળવો થાય છે એનું આ એક જ્વલંત દૃષ્ટાંત તમારી સામે મૂકું છું. શોકના તળિયે શાન્તિ શાણી સુમતિ ભગવાન શ્રી મહાવીરની વાણી સાંભળવા ગઈ હતી, એનો પતિ આત્મારામ બહાર ગયો હતો. એના બંને યુવાન પુત્રો તળાવમાં ખાન કરવા ગયા હતા. સુમતિએ વ્યાખ્યાનમાં સાંભળ્યું : “જ્યાં સંયોગ છે, ત્યાં વિયોગ છે. આત્મા સિવાય જગતની પ્રત્યેક વસ્તુ વિખૂટી પડે છે. આજે આપણે જેના માટે હસીએ છીએ, તે જ વસ્તુ આવતી કાલે રડાવે છે. આનંદ અને શોક એક જ ત્રાજવાનાં બે પલ્લાં છે. અનંત સમાધિનો માર્ગ એક જ છે. મોહનો ત્યાગ ! આ મોહનો ત્યાગ જન્મે છે, આત્માની એકલતાના જ્ઞાનમાંથી.” સુમતિએ આ ઉપદેશને પોતાના હૈયાની દાબડીમાં ઝીલ્યો. એનો વિચાર કરતી, એને જીવનમાં વણવા મથતી, એ ઘેર આવી, ત્યાં એકાએક સમાચાર મળ્યા : એના નહાવા ગયેલા બંને દીકરા ડૂબી મર્યા છે. પહેલાં એક નહાવા પડ્યો, પણ એ તો કીચડમાં ખૂંચતો જણાયો. એને કાઢવો બીજો ગયો, પણ એ ખૂંચતો છોકરો બીજાને બાઝયો અને બંને ડૂળ્યા.” જુવાનજોધ બે દીકરા જાય તો કઈ માતાનું હૈયું શોકમાં ન ડૂબે ? સમતિના હૈયાના કટકે કટકા થવા લાગ્યા. એ શોકન ઝંઝાવાતમાં ઘેરાઈ ગઈ, એને મૂછ આવી, અને એ ધરતી પર ઢળી પડી. થોડી વારે એ મૂછ ઊતરતાં એના હૈયા પર જ્ઞાનવચનો આવવા લાગ્યાં. જ્યાંથી આનંદ આવે છે, ત્યાં જ શોક હોય છે, અને એ શોકના તળિયામાં જ શાંતિ હોય છે. શોકને ઉલેચી નાંખો, શાંતિ ત્યાં જ જડશે. ૨૧૨ માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy