SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ ધંધા માટે. પણ ફરિયાદ કર્યા વિના જ પુરુષાર્થ કરવો જોઈએ, એમ ન વિચારે. આવા સંયોગોમાં માણસને સાચી વિદ્યા મળે તો જ માણસ જીવનનાં તત્ત્વોને સ્પર્શી શકે અને દુ:ખના તાપને, પણ જીવનના ઘઉં પકવવાનું સાધન માની, એને સત્કારી શકે. વિષમ પ્રસંગોમાંથી પણ કાંઈક બોધ મેળવી જીવનને ઘડી શકે. આપણું કોઈ સ્વજન મરી જાય છે, ત્યારે આપણને કેટલો બધો શોક થાય છે ! આપણું મન દુઃખના અગાધ સાગરમાં કેવું ડૂબી જાય છે. ! પણ તે પ્રસંગે આપણે સ્વસ્થ ચિત્તે વિચારીએ કે આ શોક શાથી આવ્યો ? શા કારણે આવ્યો ? ગામમાં આટલાં મરી જાય છે, છતાં આંખે એક આંસુ પણ નથી આવતું અને અત્યારે આ આંસુઓનો સાગર કેમ છલકાઈ ગયો ? મૃત્યુ એ જ જો અનિષ્ટ અને દુઃખનું કારણ હોય તો ગામમાં કોઈ મૃત્યુ પામે છે, ત્યારે શોક કેમ આપણને ઘેરી વળતો નથી ? મહોલ્લામાં કોઈ મરી ગયું હોવા છતાં તે દિવસે ભોજનમાં મિષ્ટાન્ન આવ્યું હોય તોય ભોજન કરતાં શોક થતો નથી અને પોતાનું સ્વજન જતાં હૃદય રડે છે, એનું કારણ શું ? એનું કારણ છે કે, એને જે વ્યક્તિ પ્રત્યે રાગ હતો, જેના તરફથી “કાંઈક” મળતું હતું. તે હવે બંધ થયું છે, તે હવે મળવાનું નથી, એટલે એ રડે છે, પણ એ કોને માટે રડે છે ? જનાર વ્યક્તિ માટે નહિ, પણ એ વ્યક્તિ તરફથી જે મળતું હતું, તેને માટે. એટલે કે પોતાના અર્થ માટે રડે છે અને એ અર્થ માણસને બીજી કોઈ વ્યક્તિ તરફથી મળતો હોય તો તે શોક શમી જાય છે. ધીમે ધીમે શોકમાં ઓટ આવે છે, અને માણસ મૂળ સ્થિતિએ આવી જાય છે. હા, આમ છતાં સ્નેહ જેવી એક પવિત્ર અને ચિરસ્મરણીય વસ્તુ પણ દુનિયામાં છે, જે અર્થ અને કામની નહિ, ચેતનાની ભૂખી છે. આ ભૂખ એક આત્મજ્યોતમાંથી જન્મેલી છે, બીજી કોઈ વ્યક્તિ પાસેથી તે મળતી નથી. જ્યાંથી એ પ્રગટે છે, ત્યાં જ એ વિલીન થાય છે. એટલે આવા પ્રસંગોમાં માણસના હૈયા પર શોકની છાયા ઘણી ઘેરી થઈ જાય છે અને આવા કેટલાક પ્રસંગોમાં તો માણસ કાં જ્ઞાની બને, કાં ઉન્મત્ત બને; જ્ઞાની વિચારે કે મારું પ્રિયજન એક એવા પ્રવાસે ઊપડ્યું છે કે જ્યાં અંતે મારે પણ જવાનું જ છે, એ પહેલાં ગયેલ છે, હું પછી જઈશ, એમ વિચારી સમાધાન મેળવી લે છે. જ્યારે અજ્ઞાનીને થાય છે. હવે શું થશે ? ખેલ ખલાસ ! બાજી બગડી ગઈ. મારે જીવનભર ઝૂરવાનું. હવે ક્યાં મળવાના છીએ ? જીવન શૂન્ય થઈ ગયું. અને એવા વિચારોમાં અજ્ઞાનતા અને ઉન્મત્તતા વધતી જાય છે. હવે તો જાગો ! % ૨૧૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy