SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ચિન્તકે કહ્યું : “બરાબર હું એ જ કહેવા માંગતો હતો. આટલા અભ્યાસ પછી, આટલી પ્રવૃત્તિ પછી, આટલી સાધના પછી પણ મરવાનું ? મરવા માટે આટલું બધું કરવાનું ? મરવું જ હોય તો આટલો અભ્યાસ ન કરો, દેશાટન ન કરો તો પણ મરી શકાય છે. શું અભણ નથી મરતા ? અભણ પણ કરી શકે છે. વિદ્યાવાન તો એમ કહેશે કે – પછી અમર બનીશ, મૃત્યુ સામે યુદ્ધ કરીશ, વૃત્તિઓ પર વિજય મેળવીશ, જીવનમાં પ્રેમ, પ્રકાશ અને શ્રદ્ધાને ભરીશ, અને મૃત્યુને તરી જઈશ. વિદ્યા તો મૃત્યુને જીતવા માટે છે. એક કવિ કહે છે : હસી મૃત્યુમુખે ધસવાનું જ દે, ધસી મૃત્યુમુખે હસવાનું વિદ્યાવાનમાં જીવનની ખુમારી જોઈએ. સુખમાં કે દુઃખમાં, સંપત્તિમાં કે વિપત્તિમાં, સંયોગમાં કે વિયોગમાં પોતાના આત્માની અને પોતાના મનની મસ્તી ન ગુમાવે તે જ અભ્યાસી, તે જ વિદ્યાવાન. પ્રકૃતિના રહસ્યને જાણનાર માણસ ઉનાળો આવતાં અકળાતો નથી. શિયાળો આવતાં ફરિયાદ નથી કરતો; કે વર્ષાકાળ આવતાં બબડાટ કરતો નથી. એ જાણે છે કે આ તો વ્રત ત્રસ્તના ખેલ છે. શિયાળામાં ટાઢ પડે છે, પણ ઘઉં ને કપાસ એમાં જ તૈયાર થાય છે. વર્ષોમાં વૃષ્ટિ થાય અને કીચડ થાય પણ જુવાર બાજરી એમાં જ પાકે છે. ઉનાળામાં તડકો પડે છે પણ મીઠી કેરીઓ અને રાયણ એ ઋતુમાં જ પાકે છે, તેમ દુઃખ, વિપત્તિ, વિયોગ પણ માણસને ઘડવા આવે છે. એથી માણસની કસોટી થાય છે. માણસનું હીર આવા સંયોગોમાં જ પ્રગટે છે. સાચો અભ્યાસી દુઃખને પણ કુદરતની પ્રિય ભેટ માની હસતા મુખે એનું સ્વાગત કરે છે. એ સમજતો હોય છે કે આજનું દુ:ખ એ મારી ગઈ કાલની ભૂલનું જ પરિણામ છે. એક ભૂલને સુધારવી હોય તો બીજી નવી ભૂલ ન કરવી, દુઃખ વખતે અફસોસ કરવો એ જૂની ભૂલમાં નવી ભૂલનો ઉમેરો કરવા બરાબર છે. બતુનો ખેલ પણ કેટલાક માણસો આ વાતનો વિચાર કર્યા વિના કેવળ ફરિયાદ જ કરતા ફરતા હોય છે. વરસાદ આવે તો કહે : “આહ ! શું વરસાદ છે ! બંધ થતો જ નથી. મારી નાખ્યા.” ટાઢ પડે ત્યારે કહે : “શું ટાઢ પડે છે ! ચામડાં ચિરાઈ ગયાં.” તાપ પડે ત્યારે કહે : “તડકો પડે છે કાંઈ તડકો ! ધરતી તો ભડકે બળી રહી છે !” આમ રોદણાં જ રોયા કરે; પણ આ તો ઋતુના ખેલ છે, એમ ન સમજે. તમે કેટલાક માણસો પણ જીવન અંગે રોદણાં જ રોતા હોય છે. કોઈ પુત્ર માટે, તો કોઈ પત્ની માટે; કોઈ ધન માટે તો ૨૧૦ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy