SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન છે. હું જે કામ કરું છું એ કામની બધી જ પ્રક્રિયાઓ મારા જીવનની સાથે પરંપરાઓમાં આવવાની છે. એક માને ચાર પુત્રો હશે તો દરેકની ઇચ્છા, દરેકની જીવનરીત, દરેકના ભાવ જુદા હશે. એનું કારણ શું છે ? ગતજન્મથી એ જે સંસ્કારો લઈને આવેલો છે એ સંસ્કારો પ્રમાણે એ બને છે. : કેટલીક વાર મોટો પુત્ર ખરાબ હોય અને નાનો પુત્ર સારો હોય. મહાભારતનો એક પ્રસંગ છે. શુકદેવને વ્યાસ કહે છે ઃ તું સંસારમાં ૨હે, સંસારનો અનુભવ કર અને પછી ત્યાગ કર. પણ શુકદેવ સાંભળતા નથી અને ચાલ્યા જાય છે. પુત્રને પકડવા વ્યાસજી પાછળ દોડી રહ્યા છે. રસ્તામાં સરોવર આવે છે. સરોવરના કિનારે કેટલીક કન્યાઓ સ્નાન કરી રહી છે. શુકદેવજી આગળ ચાલ્યા જાય છે, એની પાછળ થોડે દૂર વ્યાસજી આવી રહ્યા છે. શુકદેવજી સરોવર પાસેથી પસાર થયા, કન્યાઓ સ્નાન કરતી જ રહી. પણ વ્યાસ ત્યાં આવ્યા એટલે પેલી કન્યાઓએ જલદી કપડાં પહેરી લીધાં, અંગ ઢાંકી લીધું. વ્યાસે આ બન્ને પ્રસંગો જોયા. એમને થયું : મારો યુવાન દીકરો પસાર થયો તો આ કન્યાઓએ કપડાં પહેર્યાં નહિ અને મારા જેવા વૃદ્ધને જોઈ વસ્ત્રો કેમ પહેર્યાં ? પુત્ર તો પાછો ન વળ્યો એટલે એમણે પાછા વળતાં કન્યાઓને પૂછ્યું : “જ્યારે મારો પુત્ર જતો હતો ત્યારે તમે નિ:શંક બનીને સ્નાન કરતાં હતાં પણ મને જોઈ તમે કપડાં કેમ પહેરી લીધાં ?'' આ સાંભળીને એક કન્યા હસી પડી. પૂછ્યું : “તમને ખોટું નહિ લાગે ?' ‘“ના, નહિ લાગે.” ‘‘વિકારોનો સંબંધ વર્ષો સાથે નહિ પણ વિવેક સાથે છે.'' “અમે તમને પૂછીએ. તમને કેવી રીતે ખબર પડી કે શુકદેવ ગયા ત્યારે અમે કપડાં નહોતાં પહેર્યાં અને તમે આવ્યા ત્યારે પહેર્યાં ? તમે જ કહો ? તમારી નજર ક્યાં હતી ?'' “શુકદેવના અંતરમાં જ્યોત જાગી, વિવેક જાગ્યો, વિકાર માટે આ માનવદેહ નથી; વિચાર માટે છે. એની દૃષ્ટિ અંતર્મુખ હતી. શુકદેવને અમારી સામે નજ૨ નાખવાનો પણ સમય ન હતો. પણ તમારા મનમાં કાંઈક જુદું જ રમે છે.'' વ્યાસને ખ્યાલ આવી ગયો. સુખદેવ એટલે જે સુખનો દેવ છે, એને મન જીવન વિકાર માટે નહિ, વિકાસ માટે છે. વર્ષો વધતાં વિકારો ઘટે એમ નથી, વિવેક વધતાં વિકારો ઘટે. વિવેકનો આ દીપક પ્રજ્વલિત થાય છે ત્યારે જ ખ્યાલ આવે છે કે આ જીવન, આ Jain Education International ૧૨ : માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy