SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂરેચૂરા કરી નાંખે તો કહેવું પડે, ને કે દૃષ્ટિવાળો હોવા છતાં અંધ છે ! આ અંધતા ક્યારે જાય ? જ્યારે એમાં દિવ્યતાનાં અંજન થાય ત્યારે. આ અંજન અંજાયા પછી આપણે આ જીવનમાં જે વસ્તુ શોધવા નીકળ્યા છીએ તે વસ્તુ મળતાં વાર ન લાગે. આપણા માર્ગદર્શક પણ દિવ્ય દૃષ્ટિવાળા હોવા જોઈએ. તમે અર્થ અને કામમાં રચ્યાપચ્યા રહેલા ગુરુઓ પાસે માર્ગદર્શન માગો તો એ શું આપે ? એ જ બાપડા માર્ગ ભૂલ્યા છે ત્યાં એ બીજાને શું ચીંધે ? આંધળા નેતાને ચૂંટનાર પ્રજા ખાડામાં જ પડે ને ? ગુરુ ત્યાગી જોઈએ, અર્થ અને કામથી અલિપ્ત જોઈએ. નરસિંહ મહેતાએ પણ કહ્યું છે કે : “કંચન અને કામિની, ચોકી આડી શ્યામની.” એટલે ગુરુ ચૂંટવામાં પણ વિવેક જોઈએ. એવો વિવેક હોય તો સદ્ગુરુને પામી શકીએ અને કુગુરુઓથી બચી શકીએ. આજે જગતમાં કુગુરુઓનો રાફડો ફાટ્યો છે. એટલે ગુરુને પિછાણવામાં પણ વિવેક જોઈએ. મગજ એક બગીચો રસ્તા ઉપર થઈને આપણે પસાર થતા હોઈએ તો હજારો વસ્તુઓ આપણા જોવામાં આવે. જોયેલી બધી વસ્તુઓ મગજમાં ભરી રાખીએ તો આપણું મગજ એક નકામો કચરો ભરવાની વખાર થઈ જાય અને પરિણામે એમાં અંધકાર અને ક્ષુદ્ર જંતુઓ ભરાઈ જાય. આપણું મગજ વખાર બનાવવા જેટલું સસ્તું તો નથી જ, માટે જોયેલી વસ્તુઓમાં ગ્રહણ અને ત્યાગનો વિવેક જોઈએ. યોગ્ય વસ્તુનો આદર અને અયોગ્યનો ત્યાગ. માળી જેમ છોડવાને રોપે છે, અને નકામા છોડવાઓને ઉખેડી નાંખીને બગીચાને નયનમનોહ૨ અને સુંદર બનાવે છે, તેમ આપણા મગજને પણ એક સુંદર બગીચો બનાવવો જોઈએ. પણ સુંદર બગીચો વાતો કરેથી બની જાય ? આપણે પણ માળીની જેમ સારા વિચારોના છોડવાઓ મગજના ક્યારાઓમાં રોપીએ અને ખરાબને દૂર કરીએ તો એ બને. પછી એ સ્થાનમાં કેવી શાંતિ મળે ? કેવો આનંદ આવે ? કેવી સુરભિની છોળો ઊછળે ? પછી આપણને એ સ્થળમાં અશાંતિનો અનુભવ થાય ખરો ? એ સ્થળમાં તો આપણે ઠંડા, શાંત અને પુલકિત થઈ વિહરવાના. પણ આપણે આપણા આ સુંદર બગીચાને નકામા વિચારો ભરી અરણ્યમાં ફેરવી નાખ્યો છે, જ્યાં એકલા જતાં આપણને પોતાને પણ ક્ષોભ થાય છે. જાણે ચારે બાજુ ભયના ભણકારા વાગતા ન હોય ! જાણે આમથી આવશે કે તેમથી આવશે ! આજ માણસનું મગજ સુંદર બગીચો મટી ભયાનક અરણ્ય બન્યું છે; ત્યાં ફૂલ અને બુલબુલ નથી, પણ કાંટા અને કાગડા છે; ત્યાં પ્રેમની ખુશબો નથી, પણ પાપની બદબો છૂટે છે. Jain Education International હવે તો જાગો ! * ૧૯૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy