SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ માણસમાં દિવ્યતા આવે તો એની દૃષ્ટિમાં ફેર પડી જાય છે. એ સારું અને ખરાબ પારખી શકે છે. એક દશ્ય એક ગામ બહાર સરોવરની પાળે એક નવજુવાન સ્ત્રીનું શબ પડ્યું હતું. એના શરીર પર અનેક અલંકારો હતા, મુખ પર શાંતિ હતી. જાણે પ્રગાઢ ઊંઘમાં ન હોય, એમ એ પડી હતી ! આ મુસાફર સ્ત્રીનું શબ જોવા આખું ગામ ભેગું થયું. પહેલાં એક ચોરની નજર એના પર પડી. એના મનમાં થયું – હું મોડો પડ્યો, જો પહેલાં આવ્યો હોત તો કેવું સારું થાત ! આટલા બધા અલંકારો મળ્યા હોત તો બે-પાંચ વરસની પીડા ટળી જાત.” તે સમયે કામી વિચારી રહ્યો હતો – “શું મત્ત યૌવન છે ! જીવતી મળી હોત તો જન્મારો સફળ થઈ જાત !” દૂરદૂર એક શિયાળ સંતાઈને જોઈ રહ્યું હતું, એ વિચારતું હતું : “આ શબને મૂકીને આ લોકો ચાલ્યા જાય તો કેવું સારું ! કેટલું મોટું શરીર ! સાત દિવસ પેટ ભરીને ખાઉં તોયે ન ખૂટે !' ત્યાં થઈને એક ગુરુ-શિષ્ય ચાલ્યા જતા હતા એમણે જોયું અને ગુરુએ પોતાના શિષ્યને કહ્યું : “વત્સ ! જોયું, જગત કેવું નશ્વર છે ! આ યૌવનના વૈભવથી છલકાતો દેહ પણ અણધાર્યો ઢળી પડ્યો ! એના હૈયામાં કેટકેટલા કોડ હશે ! પણ તે બધા અપૂર્ણ જ રહ્યા. પ્રાણીમાત્રને અણધારી આ મહાયાત્રા આદરવી પડે છે. આ તનનો ગર્વ નકામો છે, આ દેહનું અભિમાન ખોટું છે. આપણી તંદુરસ્તી છે ત્યાં સુધી સંયમની સાધના કરી લેવી. કાળ કોઈનાય પર કૃપા કરવાનો નથી.” એમ વિચારી તે ત્યાગને પંથે આગળ વધ્યા. આ ઉપરથી સમજાશે કે વસ્તુ એક જ છે, પણ ચારેનાં દૃષ્ટિબિંદુ જુદાં છે. ચાર જણમાંથી સંતની આંખમાં દિવ્યતા હોવાને કારણે જે શરીર કામીને કામ તરફ પ્રેરતું હતું, તે જ શરીર ત્યાગીને વૈરાગ્ય અને ચિંતનનું પ્રેરણાધામ બિન્યું હતું. આપણી દૃષ્ટિ મંગળમય હોવી જોઈએ. બિલ્વમંગળની જેમ દૃષ્ટિને ખોવાની જરૂર નથી. દૃષ્ટિ ઘણી જ ઉપયોગી વસ્તુ છે. માત્ર એમાં દિવ્યતા લાવવાની છે. દિવ્યતાવાળી દૃષ્ટિ જગતમાં આશીર્વાદ સમાન છે. સવાર જેમ તોફાની ઘોડાને કેળવીને કાબૂમાં લે છે, પણ તેને મારી નાખતો નથી, કારણ કે અંતે એ જ ઘોડો કામ આપવાનો છે, તેમ આપણે પણ આપણી સ્વચ્છંદ ઇન્દ્રિયોને કેળવીને સંયમમાં લાવવાની છે. એનો નાશ કરવાની જરૂ૨ નથી. નાશ કરે નહિ ચાલે. ઇન્દ્રિયો ઘણી જ મહત્ત્વવાળી છે. ૨૦૦ માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy