SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ અબ હમ અમર ભયે ન મરેંગે. આ મહાન ગીત રેડિયો પર આવે એટલે એમ ન માનતા કે ઘરમાં અમરત્વનું ગુંજન થઈ ગયું છે ! આ ગીત હૈયામાં ગુંજવું જોઈએ. હૈયામાં એ ત્યારે જ ગુંજે કે જ્યારે માણસનું મન વીતળાતા તરફ ઢળે. સિંહણનું દૂધ સુવર્ણના પાત્રમાં જ ટકે. ઠીકરામાં લો તો પાત્ર પણ ફૂટે અને દૂધ પણ જાય. લાયકાતવાળા પાત્રમાં જ યોગ્ય વસ્તુ ટકે છે. આજ તો જાણે બધા મહાન થઈ ગયા છે. બધા જ પોતાની જાતને પાત્ર માને છે. પચાસ હજારની મોટરમાં બેસીને આવે અને વૈરાગની, ત્યાગની સંયમની વાતો ઊંચા મંચ પરથી લલકારે. પોતે મેવા મીઠાઈ ઉડાવે અને લોકોને શકરિયાના લોટનો ઉપયોગ કરવાની, અને એક ટંક ભૂખે રહેવાની ભલામણ કરે. આવા આચારહીન, વિચારહીન, માણસોનો શંભુમેળો ભેગો થવાને કારણે જ કેટલીક મહાન સંસ્થાઓની પણ બદનામી થઈ રહી છે. થોડા સાચા માણસો જે કરી શકશે, તે ખોટા લાખો ભેગા થઈને પણ નહિ કરી શકે. કાચા ઘડામાં પાણી ભરીએ તો ઘડો ફૂટે ને પાણી નકામું જાય, માટે એને પાકો થવા દો. અગ્નિમાં-ભઠ્ઠીમાં તપવા દો. પછી ટકોરા મારીને લો. એવા પાત્રમાં જે વસ્તુ મૂકશો તે દીપી નીકળશે. આ પાત્રતાને પિછાનવા દૃષ્ટિ જોઈએ, આંખ જોઈએ. તમે કહેશો કે “આંખ તો છે અને તેથી જ તો અમે જોઈ શકીએ છીએ.” સાચી વાત છે, આપણી પાસે આંખ છે, પણ તે ચામડાની છે. સત્યને જાણવા માટે આત્માની આંખ જોઈએ. દિવ્ય નયન જોઈએ. મહાત્મા શ્રી આનંદઘનજી ગાય છે : ચર્મનયને કરી માર્ગ જોતો, ભૂલ્યો સકલ સંસાર; જેણે નયને કરી માર્ગ જોઈએ, નયન તે દિવ્ય વિચાર. આત્માની આંખ વિના ચામડાની આંખથી જીવનપંથ શોધનાર માનવી આજ ભૂલ્યો છે. માત્ર ચર્મનયનથી જ જીવનપંથને શોધનારનો અંતે વિનિપાત થાય છે. અંતરની, આંખ વિનાના માણસની મને એક વાત યાદ આવે છે. અંતરનાદ ભાવનગરમાં “અંતરનાદ” ઉપર મેં વ્યાખ્યાન આપેલું. એ વ્યાખ્યાન સાંભળ્યા પછી એક પરિચિત ભાઈ મળવા આવ્યા. મને કહે : “મહારાજશ્રી, આપ અંતરનાદને તો માનો છો ને ? એ નાદને અનુસરવું એ માનવીનો ધર્મ છે ને ?” મેં ‘હા’ કહી. ત્યારે એ કહે : “મારે પણ અંતરમાંથી અવાજ આવે છે.” મેં પૂછ્યું : “અવાજ શું કહે છે ?” એ કહે : “લગ્ન કરવાનું.” મને હવે તો જાગો ! - ૧૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy