SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ભોગીને રોગનો ભય છે. ભોગ પછી રોગ તો નહિ આવે ને ? એ ફફડાટમાં ભોગમાં પણ શોક દેખાય છે. ધનવાનોને ચોરનો ભય છે, ટૅક્સનો ભય છે, અગ્નિનો ભય છે, સામ્યવાદનો ભય છે, પ્રધાનોને સત્તા ચાલી ન જાય તેનો ભય છે. વિદ્વાનને પરાજયનો ભય છે. ગુણવાનને દુર્જનોનો ભય દેખાય છે. હા, વૈરાગ્ય એક એવી વસ્તુ છે, જેને કોઈનોય ભય નથી. વૈરાગી તો મૃત્યુ સામે પણ મોરચો માંડી શકે. વૈરાગ થોડો પણ હૈયામાં હોય તો માણસ અભયનો આનંદ માણી શકે. માણસ આટલો ડરપોક, કાયર અને ભીરુ દેખાય છે, એનું કારણ એ કે એને જડ વસ્તુઓમાં આસક્તિ છે. એનું મોં સિંહ જેવું છે, પણ હૈયું શિયાળ જેવું છે. માણસ હૃદયથી સિંહ જેવો શૂરો કઈ રીતે થઈ શકે તે વિચારવાનું છે. કબાટમાં વસ્તુ મૂકેલી હોય ત્યારે પણ ચાવી આપણા હાથમાં ન હોય તો વસ્તુ જોઈએ ત્યારે ન મળે. રસોડામાં સુંદર વાનગી બનાવેલી હોય, એની સોડમ બહાર આવતી હોય, પણ રસોઇયો તાળું દઈ ચાવી લઈ બહાર ચાલ્યો ગયો હોત, તો વસ્તુ આપણી હોવા છતાં અવસરે આપણને મળતી નથી. કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા એની ચાવી હાથમાં જોઈએ. અમરત્વ અભયના ઓરડામાં છે. પણ અભયની ચાવી જે વીતરાગતા છે તે આપણી પાસે નથી. વીતરાગતા વિના અભયનાં દ્વાર કઈ રીતે ખૂલે ? આપણે રાગના હાથમાં રમી રહ્યા છીએ. પરાધીન છીએ. સ્વાધીન નથી, અને સ્વાધીનતા વિના સુખ સ્વપ્નય ક્યાં છે ? ધારો કે તમે સેઈફ ડિપૉઝિટ વોલ્ટમાં રૂપિયાની થેલીઓ મૂકી છે. રૂપિયાની તમારે એકદમ જરૂર પડી. ઘેરથી લેવા નીકળ્યા, પણ રસ્તામાં હુલ્લડ ફાટી નીકળ્યું, તો સેઈફમાં મૂકેલા તમારા રૂપિયા અવસરે તમારે શા કામના ? પરાધીનતાના કારણે વસ્તુ તમારી નથી. આજે આપણે નિર્ભય થઈને ફરીએ છીએ પણ તે અભય આપણો નથી, બીજાને લીધે અભય છીએ. જેમ પાકિસ્તાન અમેરિકાના બળ ઉપર કૂદે છે, પણ તે પોતાનું નથી, પારકું છે, અને પારકા બળ ઉપર ઝઝૂમનાર કાયર છે. તેમ મૈયા ને ચોકીદારોથી અભય મેળવનાર નિર્ભય થઈ ફરનારા પણ કાયર છે; અભય અંતરથી બનો. એક કવિ કહે છે : પ્રાણ જાયે દેહ તજ કે, આજ થી યા ભલે હી કલ, ન મુજકો દોષ દો કોઈ, કિ થા ડરપોક મરનેકા. જ્યાં સુધી અંતરમાં ભય છે ત્યાં સુધી માણસથી કાંઈ જ થઈ શકે નહિ. અમરત્વને મા ડગલું ભરવું હોય તો અભય થવું જોઈએ. આજ કાલ રેડિયો પર પણ શ્રી આનંદઘનજીનું પદ આવે છે : ૧૯૬ - માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy