SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ બારણા પાસે મહામંત્રી પોતે જ સંઘના પગનું પ્રક્ષાલન કરવા બેઠા. શ્રી વસ્તુપાળ સંઘમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને પ્રેમથી નમન કરી એનાં ચરણ ધુએ. અને મહાસેનાપતિ તેજપાળ અતિથિને અંદર લઈ જાય, આ રીતે સમસ્ત સંઘના પગ ધોતાં એમના શરીર પર પરસેવાની ધાર વહેવા લાગી. નોકરોએ કહ્યું : “માલિક ! આ કામ અમને સોંપો. થોડા બાકી રહ્યા છે, એમના પગ અમે ધોઈશું. આપના શરીર પર પરસેવાની ધારા વહી રહી છે; આપને થાક લાગ્યો હશે.' મહામંત્રી વસ્તુપાળે આપેલો ઉત્તર કદી ન ભુલાય તેવો છે : “અરે થાક ! થાક તો જન્મોજન્મનો ઊતરી ગયો. તમને આ પરસેવાની ધા૨ા લાગે છે, પણ મને તો આ પ્રેમની ધારા લાગે છે. તીર્થને સ્પર્શી આવેલા માનવીના પગ ધોવાનું સૌભાગ્ય મને ક્યારે મળે ? આ ધારાની બુંદેબુંદમાં વાત્સલ્ય, પ્રેમ ને મત્રી ભરેલાં છે !'' આવા મહાન માણસોમાં પણ કેવી ઉન્નત ભાવના હતી ! માનવ પ્રત્યે કેવું સન્માન હતું ! કેવી ઉન્નત ભાવના હતી ! માનવજીવન એકલા ધનથી મહાન નથી બનતું. "Greatness does not consist in Riches" મહત્તા ધનની નહિ; મનની છે. આ પ્રવચનમાં આપણે જોઈ ગયા કે, જે હાથે દાન દીધું નથી. જે કાને સચનો સાંભળ્યાં નથી, જે આંખે ત્યાગનાં દર્શન કર્યાં નથી, જે પગે તીર્થની યાત્રા કરી નથી, જે પેટમાં ન્યાયનું પ્રમાણિકતાનું દ્રવ્ય ગયું નથી, અને જે મસ્તક ગુરુજનોનાં ચરણમાં નમ્યું નથી, તે દેહ તો મારે માટે પણ લાયક નથી, એમ જાણી શિયાળ ભૂખ્યું ચાલ્યું ગયું. આ સાંભળી વિચારે આવે છે. આપણા જીવનમાં ધર્મ ન હોય તો આપણું જીવન પણ અર્થહીન ગણાય. જીવનમાં ધર્મ હોય તો જ જીવનની મહત્તા છે. આપ સૌ આ પ્રવચન પર ખૂબ ગંભીરતાથી વિચાર કરજો, અને જીવનમાં રૂઢિનો નહિ, પણ આચરણનો, મરેલો નહિ પણ જીવતો ધર્મ લાવી જીવનને પ્રકાશમય બનાવો એ શુભેચ્છા... Jain Education International ૧૯૪ : માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy