SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ મારામાં એટલોય વિવેક ન આવ્યો કે ગામના માણસો પહેલાં જમે, ઘરનાં માણસો છેલ્લે જમે. ઘરનો થઈને હું પહેલો બેઠો, એ મારી ભૂલ તેં ઠીક સુધારી.'' એમ કહી એમણે પીરસવાનું કમંડલ હાથમાં લીધું. ભત્રીજાની આંખમાં આંસુ ધસી આવ્યાં. કાકાના ચરણોમાં એ ઢળી પડ્યો. એમની પવિત્ર ચરણરજ લેતાં એણે કહ્યું : “કાકા ! આપે સાચી યાત્રા કરી. આપ ક્રોધને શેત્રુંજી નદીના નિર્મળ ની૨માં ધોઈ આવ્યા. આપ ત્યાંથી ક્ષમા અને પ્રેમનું અમૃત લઈને આવ્યા. મને થયું કે કડવી તુંબડીને ગંગામાં સ્નાન કરાવવા માત્રથી એની કડવાશ ન જાય. પણ ના, મારી ભૂલ છે. પારસમણિનો સ્પર્શ થાય તો લોખંડ પણ સોનું થાય છે. આપને દર્શનનો સ્પર્શ બરાબર થયો છે. આપની આ પ્રેમયાત્રા ધન્ય છે. મને ક્ષમા આપો.'' જમનારાઓએ જ્યારે આ પ્રેમકથા સાંભળી ત્યારે તો એમના ભોજનની મીઠાશમાં કોઈ અપૂર્વતા આવી વસી. યુદ્ધના લોહીનો પૈસો આવ્યો શિયાળ વિચાર કરે છે : “તો હવે મારે ખાવું શું ? હાથ, કાન, આંખ ને પગ બધું જ અપવિત્ર છે, તો લાવ, પેટ ખાઉં. મને કકડીને ભૂખ લાગી છે. ભૂખથી મારા પ્રાણ જાય છે.' ત્યાં યોગી બોલ્યા : “ભઈલા, પ્રાણ જતા હોય તો જવા દેજે, પણ આ માણસનું પેટ ખાઈશ નહિ, કારણ કે પેટ તો અન્યાયથી, અત્યાચારથી મેળવેલા અનીતિના દ્રવ્યથી ભરેલું છે. આ પેટ ખાઈશ તો તારી બુદ્ધિ ભ્રષ્ટ થશે. પછી તું તારા જાતભાઈઓને મદદ નહિ કરે, જાતભાઈથી દૂર ભાગીશ. તું બીજાઓની સાથે તો લુચ્ચાઈ કરે છે, પછી તો તું જાતભાઈને, તારા કુટુંબને પણ નહિ છોડે. માટે આ અન્યાયના દ્રવ્યથી ભરેલું પેટ ખાવું રહેવા દે.’ સાધુઓમાં દ્વેષનું કારણ અનીતિનું ખાનાર માણસની પ્રકૃતિમાં પણ વિકૃતિ આવે છે. એ સગાભાઈઓ સાથે પણ કલહ કરે છે, વંચના કરે છે. આજકાલ સાધુઓ પણ અંદર અંદર કલહ કરતા હોય છે, કારણ કે એમના પાત્રમાં આ અન્ન પડે એટલી બુદ્ધિમાં વિકૃતિ આવે નહિ તો સાધુઓમાં વેરઝેર, દ્વેષ, કલહ, કુસંપ હોય શાનાં ? એમનામાં તો મૈત્રી હોવી જોઈએ, પણ મૈત્રીથી ભરેલા સાધુઓ આજે કેટલા દુર્લભ છે ? સાધુ સાધુને જોઈ દૂર ભાગતા હોય તો જાણજો કે અન્ન તેવું મન છે. Jain Education International હવે તો જાગો ! * ૧૮૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy